AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

22મી માર્ચે આર્ય સમાજનો 149મો સ્થાપના દિવસ, રાજકોટમાં થશે ભવ્ય ઉજવણી, વિવિધ કાર્યક્રમોનું કરાયુ આયોજન

Rajkot News : આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિના બે વર્ષીય વિશ્વવ્યાપી આયોજનનો શ્રુંખલામાં આર્યસમાજ દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે.

22મી માર્ચે આર્ય સમાજનો 149મો સ્થાપના દિવસ, રાજકોટમાં થશે ભવ્ય ઉજવણી, વિવિધ કાર્યક્રમોનું કરાયુ આયોજન
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 20, 2023 | 6:28 PM
Share

22મી માર્ચે આર્ય સમાજનો 149મો સ્થાપના દિવસ છે. ત્યારે ઉજવણીના ભાગરૂપે 22મી માર્ચના બુધવારના રોજ રાજકોટના આર્યસમાજ ભવન ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની 200મી જન્મજયંતિના બે વર્ષીય વિશ્વવ્યાપી આયોજનનો શ્રુંખલામાં આર્યસમાજ દ્વારા આ ઉજવણી કરવામાં આવી રહી છે.

7 એપ્રિલ 1875એ આર્ય સમાજ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી

મહાભારતકાળ પછી અસંગઠિત આર્યોને સંગઠિત કરવાના ઉદ્દેશ્ય તેમજ માનવમાત્રની સર્વાંગી ઉન્નતિની પવિત્ર ભાવનાથી મહર્ષિ દયાનંદ સરસ્વતીજી દ્વારા  7 એપ્રિલ 1875 ચૈત્ર સુદ એકમ વિક્રમ સવંત 1931ના રોજ આર્ય સમાજ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. જે આજે એક વૈશ્વિક સંસ્થા બની છે.

ઉજવણી માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયુ

વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે અનેકવિધ પ્રવૃત્તિમાં અગ્રેસર આર્ય સમાજ ખાતે આર્ય સમાજના 149માં સ્થાપનાદિનની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં યજ્ઞો, આધ્યાત્મિક અને બૌદ્ધિક વ્યાખ્યાન, પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ દિવસે યોજાશે વિવિધ કાર્યક્રમો

  • સવારે 6 થી 7 પ્રભાતફેરી -કિસાનપરા ચોકથી લાફિંગ ક્લબ સુધી
  • સવારે 7 થી 8 વાગ્યે – લાફિંગ ક્લબ ખાતે યજ્ઞ
  • સાંજે 5-30 થી 8 વાગ્યે- સરદારનગર કોમ્યુનિટી હોલ ખાતે યજ્ઞ ,ભોજન,પ્રવચનનું આયોજન કરાયું છે.

કાર્યક્રમમાં આર્યસમાજના સમર્થકો ઉપસ્થિત રહેશે

આ કાર્યક્રમમાં મુખ્ય વકત્તા તરીકે પૂજ્ય અજયજી આર્ય (દર્શનાચાર્ય) સોનીપત હરિયાણા રહેશે. આ ઉપરાંત અતિથિ વિશેષ તરીકે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, ગુજરાત પ્રાંતીય સભાના મંત્રી અને જામનગરના આર્યસમાજના પ્રમુખ દિપક ઠક્કર મહાનગરપાલિકાના દંડક સુરેન્દ્રસિંહ વાળા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં આર્યસમાજના સમર્થકો ઉપસ્થિત રહેશે.

વૈદિક મૂલ્યોના આધારે બનેલું પ્રથમ હિંદુ સંગઠન

ગુજરાતના ટંકારામાં 1824માં જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીએ દેશમાં ધાર્મિક સુધારણાના સમયગાળામાં  1875માં આર્ય સમાજની સ્થાપના કરી હતી. વૈદિક મૂલ્યોના આધારે બનેલું આર્ય સમાજ એ પ્રકારનું દેશનું પ્રથમ હિન્દુ સંગઠન હતું. પરંપરાગત હિન્દુ ધર્મમાં દયાનંદ સરસ્વતીએ નવીનતા લાવીને દેશભરમાં ગુરૂકૂળ પદ્ધતિથી શિક્ષણ આપવાની પણ શરૂઆત કરી હતી. આજે આર્ય સમાજની પદ્ધતિને અનુસરતા 80 લાખથી એક કરોડ અનુયાયીઓ દેશ-વિદેશમાં વસે છે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">