AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ : ધોરાજીમાં રખડતા ઢોરના પ્રશ્ને પ્રજા પરેશાન, પાલિકાની કામગીરીને લઇને અનેક સવાલો

ધોરાજીના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા માલિકી વગરના પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી.

રાજકોટ : ધોરાજીમાં રખડતા ઢોરના પ્રશ્ને પ્રજા પરેશાન, પાલિકાની કામગીરીને લઇને અનેક સવાલો
ધોરાજી : રખડતા ઢોરનો પ્રશ્ન
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 12:44 PM
Share

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તે રખડતા આખલાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી ના હોવાને કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે.

ધોરાજીના મુખ્ય માર્ગો રખડતા પશુઓનો અડ્ડો બની ગયા છે. ધોરાજીમાં રખડતા ઢોરની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ચૂકી છે. ધોરાજીનો ગેલેક્સી ચોક હોય કે શાક માર્કેટ હોય કે સ્ટેશન રોડ આ તમામ વિસ્તારના મુખ્ય માર્ગો પર આખલાઓ અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે. અને લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે.

ધોરાજીના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા માલિકી વગરના પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. રખડતા આખલાઓ રસ્તા વચ્ચે વારંવાર યુદ્ધ કરતા હોય છે. અને જેમાં કેટલાક સ્થાનિકો ઈજાનો ભોગ પણ બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષની સત્તા આવી છે. પરંતુ બંને પક્ષમાંથી કોઈપણ પક્ષના સતાધીશોએ લોકોને આખલાના ત્રાસમાંથી મુક્તિ નથી અપાવી.

હાલ ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે અને રખડતા પશુ અને આખલાના ત્રાસમાંથી પ્રજાને મુક્તિ અપાવવા માટે ખુદ કોંગ્રેસ શાસિત પાલિકાના સદસ્ય દિલીપ જાગાનીએ લેખિત અરજી પણ કરી છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ખુદ કોંગ્રેસના પાલિકા સદસ્યના આક્ષેપ છે કે કોંગ્રેસ શાસિત પાલિકામાં દરેક કામો માત્ર કાગળ પર જ થાય છે. રખડતા આખલાઓને કારણે પ્રજા ત્રહીધામ પોકારી ઉઠી છે. ત્યારે કોંગ્રેસના સતાધીશો આ બાબતે ભેદી મૌન સેવી રહ્યા છે.

ધોરાજી શહેર ભાજપના મહામંત્રીએ કોંગ્રેસ સહિત પાલિકા પર આક્ષેપ કર્યા છે. અને કહ્યું છે કે કોંગ્રેસના સતાધીશો માત્રને માત્ર વિકાસના કામોની વાતો કરે છે. પશુ પકડવા માટે પાલિકા પાસે પૂરતો સ્ટાફ નથી અને આજ દિવસ સુધી નગરપાલિકાએ રસ્તે રખડતા પશુ અને આખલાને પકડવા કોઈ કામગીરી કરી નથી. લોકો માટે માથાના દુઃખાવા સમાન બનેલ આખલાના અને રસ્તે રખડતા પશુ પકડવા કોઈ કામગીરી કરેલ નથી.

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">