AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટ : ધોરાજીમાં રખડતા ઢોરના પ્રશ્ને પ્રજા પરેશાન, પાલિકાની કામગીરીને લઇને અનેક સવાલો

ધોરાજીના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા માલિકી વગરના પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી.

રાજકોટ : ધોરાજીમાં રખડતા ઢોરના પ્રશ્ને પ્રજા પરેશાન, પાલિકાની કામગીરીને લઇને અનેક સવાલો
ધોરાજી : રખડતા ઢોરનો પ્રશ્ન
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 12:44 PM
Share

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં રસ્તે રખડતા આખલાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવતી ના હોવાને કારણે સ્થાનિકોમાં ભારોભાર રોષ છે.

ધોરાજીના મુખ્ય માર્ગો રખડતા પશુઓનો અડ્ડો બની ગયા છે. ધોરાજીમાં રખડતા ઢોરની સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ચૂકી છે. ધોરાજીનો ગેલેક્સી ચોક હોય કે શાક માર્કેટ હોય કે સ્ટેશન રોડ આ તમામ વિસ્તારના મુખ્ય માર્ગો પર આખલાઓ અડિંગો જમાવીને બેસી રહેતા હોય છે. અને લોકોને રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે.

ધોરાજીના સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજીમાં દાયકાઓ વીતી ગયા પરંતુ પાલિકા દ્વારા રસ્તે રખડતા માલિકી વગરના પશુને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવતી નથી. રખડતા આખલાઓ રસ્તા વચ્ચે વારંવાર યુદ્ધ કરતા હોય છે. અને જેમાં કેટલાક સ્થાનિકો ઈજાનો ભોગ પણ બન્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 10 વર્ષમાં ભાજપ-કોંગ્રેસ બંને પક્ષની સત્તા આવી છે. પરંતુ બંને પક્ષમાંથી કોઈપણ પક્ષના સતાધીશોએ લોકોને આખલાના ત્રાસમાંથી મુક્તિ નથી અપાવી.

હાલ ધોરાજી નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન છે અને રખડતા પશુ અને આખલાના ત્રાસમાંથી પ્રજાને મુક્તિ અપાવવા માટે ખુદ કોંગ્રેસ શાસિત પાલિકાના સદસ્ય દિલીપ જાગાનીએ લેખિત અરજી પણ કરી છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. ખુદ કોંગ્રેસના પાલિકા સદસ્યના આક્ષેપ છે કે કોંગ્રેસ શાસિત પાલિકામાં દરેક કામો માત્ર કાગળ પર જ થાય છે. રખડતા આખલાઓને કારણે પ્રજા ત્રહીધામ પોકારી ઉઠી છે. ત્યારે કોંગ્રેસના સતાધીશો આ બાબતે ભેદી મૌન સેવી રહ્યા છે.

ધોરાજી શહેર ભાજપના મહામંત્રીએ કોંગ્રેસ સહિત પાલિકા પર આક્ષેપ કર્યા છે. અને કહ્યું છે કે કોંગ્રેસના સતાધીશો માત્રને માત્ર વિકાસના કામોની વાતો કરે છે. પશુ પકડવા માટે પાલિકા પાસે પૂરતો સ્ટાફ નથી અને આજ દિવસ સુધી નગરપાલિકાએ રસ્તે રખડતા પશુ અને આખલાને પકડવા કોઈ કામગીરી કરી નથી. લોકો માટે માથાના દુઃખાવા સમાન બનેલ આખલાના અને રસ્તે રખડતા પશુ પકડવા કોઈ કામગીરી કરેલ નથી.

Follow Us
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
સુરેન્દ્રનગર ખાતે 36 દિવસમાં પુલના પોપડા ઉખડી પડતા ગ્રામજનોમાં રોષ
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
વરસાદ ખેંચાતા વડોદરાનો જીવાદોરી સમાન આજવા ડેમ તળિયા ઝાટક
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
ઉચ્ચ સરકારી અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
અફઘાનિસ્તાનમાં આવ્યો ભૂંકપ, ભારતના શહેરો ધ્રુજ્યા
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
આજનું રાશિફળ : સર્જનાત્મક કામમાં મળશે સફળતા, સ્વાસ્થ્ય પણ રહેશે ઉત્તમ
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
રાજકોટ-ખંભાળિયામાં શ્વાનનો આતંક, બાળક સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાતા જસદણના ખેડૂતોને સતાવી રહી છે પાક નુકસાનીની ભીતિ
g clip-path="url(#clip0_868_265)">