રાજકોટના બેડી ગામમાં મચ્છરોનો ત્રાસ વધ્યો છે. અહીં લોકોની સાથે સાથે પશુઓને પણ એટલી તકલીફ પડી રહી છે કે તેમના માટે ખાસ મચ્છરદાની બનાવડાવી પડે છે. માલધારીઓએ તારપુરથી ખાસ મચ્છરદાની બનાવડાવી છે. પશુઓને સાચવવા માટે નેટ બાંધવામાં આવે છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
સાંજથી લઈને સવાર સુધી મચ્છરોનો ઉપદ્રવ એટલો હોય છે કે પશુઓ આરામ પણ નથી કરી શકતા. જેના કારણે પશુઓ માટે ખાસ નેટ બાંધવામાં આવે છે. મહત્વનું છે કે અગાઉ બેડી માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસથી વેપારીઓએ હડતાળ પાડી હતી. જો કે હજુ સુધી મચ્છરોને લઈ કોઈ ઉકેલ નથી આવ્યો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચો: સુરત: શહેરના 70 ટકા વિસ્તારમાં બે દિવસ નહીં મળે પાણી, મુકાયો પાણીકાપ