RAJKOT : કોરોનાના સંકટ વચ્ચે મ્યુકોર માઇક્રોસિસ રોગનો ઝડપથી ફેલાવો થઇ રહ્યો છે.શહેરમાં છેલ્લા 15 દિવસમાં મ્યુકોર માઇક્રોસિસના દરરોજ 10 થી 15 પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે જે ચિંતાજનક છે.રાજકોટના એમડી ડો.અમિત હાપાણીએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યુ હતુ કે કોરોના બાદ ફંગસ નામનો આ રોગ થઇ શકે છે ખાસ કરીને ડાયાબિટીસ અને જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેવા દર્દીઓ આ રોગના શિકાર બની શકે છે.ડો.હાપાણીના કહેવા પ્રમાણે આ રોગ અત્યારે ઝડપથી વધી રહ્યો છે જેના કારણે લોકોએ સાવચેત રહેવું જરૂરી છે.
કેવા હોય છે લક્ષણો?
ડોક્ટરોના કહેવા પ્રમાણે આ રોગમાં પહેલા સોજા ચડવાની શરૂઆત થાય છે.
આંખ,સાયનસ અને હાડકામાં આ ફંગસ થાય છે અને જો મગજ સુધી પહોંચી જાય તો મુશ્કેલી વધી શકે છે.
આ રોગના કારણે અંધાપો પણ આવી શકે છે.
શું કરવો જોઇએ ઉપાય ?
ડોક્ટરના કહેવા પ્રમાણે જે લોકોને ડાયાબિટીસ હોય તેવા દર્દીઓને ડાયાબિટીસ હોય તેવા દર્દીઓએ કોરોના બાદ સાવચેત રહેવું જરૂરી છે.
કોરોના થયા બાદ રોગ પ્રતિકાર શક્તિ ઓછી હોય અને ડાયાબિટીસ હોય તેવા દર્દીઓએ ડાયાબિટીસ કન્ટ્રોલમાં લેવું જોઇએ.
જરાક સોજા ચડે કે તુરંત જ ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
તાત્કાલિક ફંગસ ફેલાય નહિ તે રીતે તકેદારી રાખવી જોઇએ.
Published On - 3:31 pm, Tue, 4 May 21