નર્મદાના સ્ટેચ્યુ ઑફ યૂનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પૂ્ર્વે તૈયારિયો પૂરજોશમાં ચાલી રહી છે.આપને જણાવી દઇએ કે 30-31 ઑક્ટોબરના રોજ પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે.પીએમ નરેન્દ્ર મોદી 30 ઑક્ટોબરના રોજ કેવડિયા પહોંચશે અને કેવડિયા ખાતે પીએમ નરેન્દ્ર મોદી વિવિધ પર્યટન સ્થળોનું લોકાર્પણ કરશે. 30 ઑક્ટોબરના રોજ પીએમ મોદી જંગલ સફારી અને ક્રુઝ બોટનું ઉદ્ધાટન કરશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પોતાની કેવડિયા મુલાકાત દરમિયાન શ્રેષ્ઠ ભારત ભવન તેમજ એકતા મૉલની પણ મુલાકાત લેશે. વડાપ્રધાન ગુજરાત મુલાકાત દરમિયાન સરદાર પટેલ જયંતિ નિમિત્તે સરદાર પટેલની વિશાળ પ્રતિમાની પૂજા કરી, વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો