વડાપ્રધાન મોદીના આગમનની પૂરજોશમાં તૈયારીઓ, 4 લાખ લોકો રોડ-શૉમાં જોડાશે : પાટીલ

વડાપ્રધાન કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. તો સરપંચ સંમેલન અંગે માહિતી આપતા પાટીલે કહ્યું, વડાપ્રધાન સરપંચ સંમેલનમાં હાજર રહેશે. જેમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 8:28 PM

વડાપ્રધાન મોદી (PM MODI) બે દિવસ માટે ગુજરાતના (Gujarat) પ્રવાસે (TOUR)આવી રહ્યા છે. આગામી 11 અને 12 માર્ચે વડાપ્રધાન ગુજરાત આવશે. 11 માર્ચે સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાશે. એરપોર્ટથી કમલમ સુધી PM મોદી રોડ શો કરશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે (C.R.Patil)માહિતી આપતા કહ્યું કે, PMના કાર્યક્રમમાં લગભગ 4 લાખ લોકો અભિવાદન માટે આવશે. જેમાં અલગ અલગ સમાજ, સંસ્થાઓ, NGO અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે. વડાપ્રધાન કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. તો સરપંચ સંમેલન અંગે માહિતી આપતા પાટીલે કહ્યું, વડાપ્રધાન સરપંચ સંમેલનમાં હાજર રહેશે. જેમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહેશે.

બીજી તરફ 12 માર્ચે વડાપ્રધાન મોદી ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે. નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવવાના છે. આ અંગેની માહિતી આપતા સી.આર. પાટીલે કહ્યું, સરદાર પટેલ સ્ટેડિયમમાં 1100 કલાકારો સાથે ભવ્ય લાઈટિંગનો કાર્યક્રમ થશે. માત્ર ખેલાડીઓ જ નહી સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા લોકો પણ તેમાં હાજર રહેશે. ખેલ મહાકુંભમાં રાજ્યમાં 500થી વધુ જગ્યાએ યોજાશે. 46 લાખથી વધુ લોકોએ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન કર્યું છે. પોતાના બે દિવસીય કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી પોતાના માતા હીરા બા સાથે મુલાકાત કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Ahmedabad : 11 થી 13 માર્ચ દરમ્યાન RSS ની પ્રતિનિધિ સભાનું આયોજન, સરસંઘચાલક મોહન ભાગવત ઉપસ્થિત રહેશે

આ પણ વાંચો : મહિલાઓ માટે સુરક્ષાનું અભય વચન એટલે 181 અભયમ હેલ્પલાઇન, આણંદ જિલ્લાની 28 હજારથી વધુ મહિલાઓએ આ સેવાનો લાભ લીધો

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">