Porbandar: પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો પહોંચશે માદરે વતન

|

Jun 20, 2022 | 1:20 PM

માછીમારી દરમિયાન ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરિન સિક્યુરિટી દ્વારા ભારતીય માછીમારોનું (Indian fishermen) અપહરણ કરે છે. આવા 20 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.

Porbandar: પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો પહોંચશે માદરે વતન
20 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા

Follow us on

પાકિસ્તાનની જેલમાં કેદ રહેલા 20 ભારતીય માછીમારોને (Indian fishermen) મુક્ત કરવામાં આવ્યા છે. આ છૂટકારાને પગલે માછીમારો તેમજ તેમના પરિવારજનો મોટો હાશકારો અનુભવ્યો છે. પાકિસ્તાને મુક્ત કરેલા મોટા ભાગના માછીમારો ગીર સોમનાથ, પોરબંદર (Porbandar) અને દેવભૂમિ દ્વારકા અને જામનગરના રહેવાસી હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. હજી પણ ભારતના 650 માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. માછીમારી દરમિયાન ભારતીય જળસીમામાંથી પાકિસ્તાન મરિન સિક્યુરિટી (Pakistan marine security) દ્વારા ભારતીય માછીમારોનુંઅપહરણ કરે છે. આવા 20 માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. તેઓ આવતીકાલે વતન આવી પહોંચશે. આ માછીમારોને પાકિસ્તાનની કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના પાર્સલ પેક કરીને આપવામાં આવ્યા હતા.

માછીમારોની વાઘા બોર્ડર ખાતે તપાસ થશે

મુક્ત કરવામાં આવેલા તમામ માછીમારોની વાઘા બોર્ડર ખાતે તપાસ કરવામાં આવશે. ત્યારબાદ તેમને માદરે વતન પહોંચાડવાની કામગીરી હથા ધરવામાં આવશે. જોકે માછીમાર એસોસિયેશનનના આગેવાનોએ રજૂઆત કરી છે કે માછીમારોની સાથે તેમની બોટને પણ મુક્ત કરી દેવામાં આવે. જેથી વર્ષો બાદ પરત ફરેલા માછીમારો તેમની રોજી રોટી સરળતાથી મેળવી શકે. ઉલ્લેખનીય છે કે ગુજરાતને વિશાળ દરિયાકાંઠો મળેલો છે અને આ દરિયાકાંઠે વસતા મોટા ભગાના માછીમાર પરિવારો તેના દ્વારા જ રોજીરોટી મેળવે છે. આ માછીમારોમાં ગીર સોમનાથ, જાફરાબાદ, પોરબંદર, વેરાવળ સહિતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસતા માછીમારોનો સમાવેશ થાય છે.

પાકિસ્તાન મરિન સિક્યુરિટી વારંવાર માછીમારોનું અપહરણ કરે છે

ભારતીય જળ સીમા નજીકથી પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી અવારનવાર ફિશિંગ બોટ સાથે માછીમારોના અપહરણ કરી જાય છે. અત્યાર સુધી પાકિસ્તાન દ્વારા ભારતના 650 માછીમારોના અપહરણ કરવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Next Article