Panchmahal: પાવાગઢના મહાકાળી મંદિર સાથે નગરની પણ કાયાપલટ, વડાપ્રધાન મોદી 18 જુને પાવાગઢમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

|

Jun 10, 2022 | 11:26 AM

ગુજરાતના (Gujarat) પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું (Pavagadh) રાજ્ય સરકાર દ્વારા ભવ્ય રિનોવેશન કરવામાં આવ્યુ છે. બે હજાર શ્રદ્ધાળુ ડુંગરના કોરિડોર પર એકસાથે ઉભા રહી દર્શન કરી શકે તેવું પરિસર તૈયાર કરવામાં આવ્યુ છે.

Panchmahal: પાવાગઢના મહાકાળી મંદિર સાથે નગરની પણ કાયાપલટ, વડાપ્રધાન મોદી 18 જુને પાવાગઢમાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

Follow us on

ગુજરાતના પંચમહાલ (Panchmahal) જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું (Pavagadh) રાજ્ય સરકાર દ્વારા ભવ્ય રિનોવેશન કરવામાં આવ્યુ છે. બે હજાર શ્રદ્ધાળુ ડુંગરના કોરિડોર પર એકસાથે ઉભા રહી દર્શન કરી શકે તેવું પરિસર તૈયાર કરવામાં આવ્યુ છે. મહાકાળી મંદિરના ઘુમ્મટને સોનાના કળશથી મઢ્યા બાદ હવે મંદિરના ગર્ભગૃહને પણ સોનાથી મઢી દેવામાં આવ્યુ છે. રાજ્ય સરકાર તેમજ મંદિર ટ્રસ્ટ દ્વારા પાવાગઢમાં અનેક વિકાસના કાર્યોને આખરી ઓપ આપવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 18 જૂનના રોજ પંચમહાલ જિલ્લાની મુલાકાત લઇ વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

ગુજરાતના (Gujarat) પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું (Pavagadh) રાજ્ય સરકાર દ્વારા ભવ્ય રિનોવેશન કરવામાં આવ્યુ છે. બે હજાર શ્રદ્ધાળુ ડુંગરના કોરિડોર પર એકસાથે ઉભા રહી દર્શન કરી શકે તેવું પરિસર તૈયાર કરવામાં આવ્યુ છે. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા મંદિરની સાથે જ દૂધિયા તળાવનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવ્યુ છે. ત્યારે આગામી 18 જૂને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાવાગઢ ખાતે પૂર્ણ કરવામાં આવેલા વિકાસના કાર્યોનું લોકાર્પણ તેમજ નિરીક્ષણ કરશે.

આ પહેલા મે મહિનામાં મંદિરના રિનોવેશન બાદ મંદિરના શિખર પર 2 કિલો 900 ગ્રામનો સોનાનો ઢોળ ચઢાવેલા 8 કળશની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આગામી સમયમાં બીજા 5 કળશ યજ્ઞશાળા પર લગાવવામાં આવશે. કુલ 13 કળશમાંથી મંદિરના મુખ્ય શિખર પર 6 ફૂટનો એક કળશ અને ધ્વજા દંડ પર 1.50 કિલોનો સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો હતો. મંદિરના અન્ય શિખરો પર 2 ફૂટના 7 સોનાનો ઢોળ ચઢાવેલા કળશ સ્થાપીત કર્યા હતા. અન્ય 2-2 ફૂટના 7 કળશ પર રૂ. 7 કરોડના 1 કિલો 400 ગ્રામ સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

એક દાતા દ્વારા પાવાગઢ મંદિરમાં રૂ.14.50 કરોડના 2.900 કિ.ગ્રા સોનાનું દાન કરવામાં આવ્યુ હતુ. જેનો ઉપયોગ કરીને નવા બનેલા મંદિર પર સોનાના ઢોળ ચઢાવેલા 8 કળશ સ્થાપિત કરાતા મહાકાળી માતાજીનું મંદિર ઇતિહાસમાં પ્રથમવાર સુવર્ણ શિખર બધ્ધ બન્યું છે.

Next Article