AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal: વરસાદના કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા કૃષિમંત્રીએ ખેતરોની મુલાકાત લીધી

કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને ખાતરી આપી હતી કે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે.

Panchmahal: વરસાદના કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરવા કૃષિમંત્રીએ ખેતરોની મુલાકાત લીધી
Agriculture Minister visited the fields
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2022 | 3:01 PM
Share

પંચમહાલ (Panchmahal) જિલ્લામાં ગત સપ્તાહમાં વરસેલા ભારે વરસાદ (Rain) ને લઈને થયેલા નુક્સાન (damage) નું જાત નિરીક્ષણ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે (Agriculture Minister Raghavji Patel) કર્યું હતું. તેઓ જિલ્લાના જાંબુઘોડા તાલુકાના ડુમા ગામમાં પહોંચ્યા હતા અને જાતે જ વાસ્તિવક સ્થિતિની જાણકારી મેળવી હતી. જ્યાં કૃષિ મંત્રીએ ખેડૂતોને થયેલા નુક્સાનનું પૂરેપૂરું અને યોગ્ય વળતરની જાહેરાત પણ રાજ્ય સરકાર દ્વારા નુક્સાનીનો સર્વે પૂર્ણ થયા બાદ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું.

પંચમહાલ જિલ્લામાં ગત સપ્તાહે મેઘરાજા અનરાધાર વરસ્યા હતા, જેને લઈને ખેતીને ભારે નુકસાન તેમજ માર્ગો, પુલ, કોઝવે પણ ધોવાયા હતા. જિલ્લામાં સૌથી વધારે વરસાદ જાંબુઘોડા તાલુકામાં વરસ્યો હતો. જાંબુઘોડા તાલુકામાં સિઝનનો 114% વરસાદ વરસ્યો હતો. તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદને લઈને ભારે તારજી સર્જાઈ હતી. જાંબુઘોડા તાલુકામાં ઓછા સમયમાં વરસેલા વધુ વરસાદને લઈને ખેતીના વિવિધ પાકોને ભારે નુકસાન થવા પામ્યું તો બીજી તરફ ધોધમાર વરસાદને લઈને ખેડૂતોની જમીનનું ધોવાણ પણ મોટી સંખ્યામાં થવા પામ્યું છે. જાંબુઘોડા તાલુકામાં ખેતીના પાકો તેમજ જમીન ધોવાણનો સર્વે હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ જાંબુઘોડા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારમાં પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કરવા માટે પહોંચ્યા હતા.

આ પણ વાંચો

સ્થાનિક અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે જાંબુઘોડા તાલુકાના ડુમા ગામમાં કૃષિ મંત્રી ભારે વરસાદને લઈને નુકસાન પામેલા ખેતરોમાં જઈને પરિસ્થિતિથી અગવત થયા હતા. કૃષિ મંત્રીએ જિલ્લા વહીવટી તંત્રને પણ તાકીદ કરી હતી કે સર્વેની કામગીરી ઝડપી અને સચોટ કરવામાં આવે. કૃષિ પ્રધાન દ્વારા ખેડૂતોને ખાત્રી આપવામાં આવી હતી કે સર્વેની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. રાજ્ય સરકાર અતિવૃષ્ટિને લઈને ખેડૂતોને થયેલા નુકસાન અંગે સંવેદનશીલ છે અને ખેડૂતોની પડખે છે. સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા સહાય પેકેજની જાહેરાત કરવામાં આવશે. ખેડૂતો દ્વારા પણ જાંબુઘોડા તાલુકામાં અતિવૃષ્ટિને લીધે થયેલા ભારે નુકસાન બાબતે રાજ્ય સરકાર દ્વારા વહેલી તકે વળતર આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી સાથે ખેડૂતોએ કૃષિ પ્રધાન દ્વારા આપવામાં આવેલી ખાતરીથી સંતુષ્ટતા વ્યક્ત કરીને પણ વહેલી તકે વળતર આપવાની માંગ કરી હતી.

Follow Us
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
અમદાવાદમાંથી કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટરની ચૂંટણી ટાણે જ ધરપકડ
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
બે બાળકીઓના મોત પાછળનું કારણ હજુ પણ અકબંધ, જુઓ વીડિયો
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
સુરતમાં AAPમાં આંતરિક ભડકો! ટિકિટ મુદ્દે સહ કન્વીનરનું રાજીનામું
g clip-path="url(#clip0_868_265)">