મનોજ અગ્રવાલનું નિવેદન
મોટાભાગના સંક્રમણના કેસ મહાનગરોમાં નોંધાઇ રહ્યા છે. એ પ્રમાણે મહાનગરોમાં મ્યુનિસિપલ કમિશનર્સને જાણ કરવામાં આવી છે કે જ્યાં જરા પણ ક્લસ્ટર કે જુથ કે એવુ કઇપણ દેખાય તેને તાત્કાલિક માઇક્રો કન્ટેઇનમેન્ટ જાહેર કરે, ત્યાં લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ મુકે, ત્યાંનુ મોનિટરિંગ પણ સતત કરે. તેના માટે જો જરુરિયાત ઊભી થાય તો ટેસ્ટિંગ ડોમ ઊભા કરવા અને રસી ન લીધી હોય તો તેમને રસી લેવડાવે. શંકાસ્પદ કેસોમાં RTPCR ટેસ્ટ કરાવવા, સેમ્પલ પણ લેવાય તેવી વ્યવસ્થા કરવા માટે સૂચના આપી દેવાઇ છે.
હોટેલ અને હોસ્પિટલ ડેઝિગનેટ કરાઇ
દરેક જિલ્લામાં એક હોટેલ ડેઝિગનેટ થઇ ગઇ છે. એક પ્રાઇવેટ હોસ્પિટલ પણ ડેઝિગનેટ થઇ ગઇ છે. જેથી લોકોને આઇસોલેટ કરવામાં કોઇ તકલીફ ન પડે અને અન્ય દર્દીઓને પણ હાલાકી ન પડે. બિનજરુરી ફેલાતા સંક્રમણને પણ આ રીતે રોકી શકાશે.
આઇસોલેશન માટે માળખુ ઊભુ કરાયુ
આ તરફ લોકોને આઇસોલેટ કરવામાં કોઇ તકલીફ ન પડે તે માટે સરકારી હોસ્પિટલ્સ સાથે પ્રાઇવેટ હોસ્પિટલ્સને પણ ડેઝીગનેટ કરવા સૂચના અપાઇ છે. તમામ જિલ્લામાં એક પ્રાઇવેટ હોસ્પિટલને આઇસોલેશન માટે ડેઝીગનેટ કરવા સૂચના આપી દેવાઇ છે. એટલુ જ નહીં આઇસોલેશન માટે પણ માળખુ ઊભુ કરવાની કવાયત હાથ ધરાઇ છે.
આ પણ વાંચોઃ Happy Birthday : ગર્લફ્રેન્ડ રકુલ પ્રીત સિંહે જેકી ભગનાનીને ખાસ અંદાજમાં આપી જન્મદિવસની શુભેચ્છા
આ પણ વાંચોઃ Technology: શું છે Web 3.0 ? તેના આવવાથી શું બદલશે ? જાણો સરળ ભાષામાં
Published On - 4:56 pm, Sat, 25 December 21