હવે રાજકોટ-સુરતથી એસટીની વોલ્વો બસ દ્વારા જઈ શકાશે કચ્છના સફેદ રણમા
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST) દ્વારા રાજકોટ અને સુરતથી કચ્છના સફેદ રણ સુધી વોલ્વો બસ સેવા શરૂ કરાઈ છે. એસટી દ્વારા વોલ્વો એસી સીટર અને એસી સ્લીપર બસ શરૂ કરવામાં આવી છે. આજથી શરુ થયેલી આ બસસેવા જ્યા સુધી રણોત્સવ ચાલશે ત્યા સુધી ચાલુ રહેશે. પ્રારભિક તબક્કે સુરતથી સ્લીપર બસ સેવા શરૂ કરાઈ […]
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (ST) દ્વારા રાજકોટ અને સુરતથી કચ્છના સફેદ રણ સુધી વોલ્વો બસ સેવા શરૂ કરાઈ છે. એસટી દ્વારા વોલ્વો એસી સીટર અને એસી સ્લીપર બસ શરૂ કરવામાં આવી છે. આજથી શરુ થયેલી આ બસસેવા જ્યા સુધી રણોત્સવ ચાલશે ત્યા સુધી ચાલુ રહેશે. પ્રારભિક તબક્કે સુરતથી સ્લીપર બસ સેવા શરૂ કરાઈ છે. તો રાજકોટથી એસી સીટર બસ સેવા શરૂ કરવામાં આવી છે. દિવાળી પર્વમાં એસટી નિગમની આ નવી સેવાને સારો પ્રતિસાદ સાપડશે તેમ માનવામાં આવી રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો