AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હવે ધોરણ-12 પાસ ઉમેદવારો નહીં બની શકે તલાટી, જાણો કઇ ડિગ્રી હશે તો બનાશે તલાટી

તલાટી બનવા માટે તૈયારી કરી રહેલા ઉમેદાવારો માટે એક નિરાસાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર ધોરણ-12 પાસ કરેલા વિદ્યાર્થીઓ હવેથી તલાટી કમ મંત્રી નહીં બની શકે.

હવે ધોરણ-12 પાસ ઉમેદવારો નહીં બની શકે તલાટી, જાણો કઇ ડિગ્રી હશે તો બનાશે તલાટી
| Updated on: Dec 12, 2023 | 2:03 PM
Share

તલાટી બનવા માટે તૈયારી કરી રહેલા ઉમેદાવારો માટે એક નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર ધોરણ-12 પાસ કરેલા વિદ્યાર્થીઓ હવેથી તલાટી કમ મંત્રી નહીં બની શકે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી બનવા માટે તમારી પાસે સ્નાતક કક્ષાની લાયકાત હોવી જરુરી છે.

અત્યાર સુધી માત્ર ધોરણ 12 પાસ કર્યુ હોય તેવા ઉમેદવારો પણ તલાટીની પરીક્ષા આપી શકતા હતા. ધોરણ 12 પછી જેમને વધુ અભ્યાસ કરવો ન હોય અને સરકારી નોકરી જોઇતી હોય તે લોકો તલાટી કમ મંત્રીની પરીક્ષા માટે તૈયારીઓ કરતા હતા. જો કે હવે ઉમેદવારોએ ફરજીયાત સ્નાતક કક્ષા સુધીની ડિગ્રી મેળવવાની રહેશે. જે પછી જ પરીક્ષામાં તેઓ ઉમેદવારી નોંધાવી શકશે.

પંચાયત વિભાગ દ્વારા તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે.જેમાં તલાટી બનવા માટે શિક્ષણ લાયકાતમાં કરાયેલા ફેરફાર અંગે જણાવવામાં આવ્યુ છે.

છે.

મે મહીનામાં જ લેવામાં આવી હતી તલાટીની પરીક્ષા

આ વર્ષે મે મહીનામાં જ તલાટીની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ હતી. રાજ્યના 2697 કેન્દ્ર પર આ પરીક્ષા યોજાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને કેમેરાની બાજ નજર વચ્ચે તલાટીની પરીક્ષા યોજાઇ હતી.આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં તમામ ઉમેદવારોની કોલલેટર સાથે વિડીયોગ્રાફી કરવામાં આવી હતી. આ સિવાય પોલીસ બોડીવોર્ન કેમેરા સાથે ઉપસ્થિત હતા.

કડક સુરક્ષા સાથે લેવાઇ હતી પરીક્ષા

આ પરીક્ષામાં કેન્દ્રમાં પ્રવેશ સાથે થયેલા કોલલેટર સાથેની વિડીયોગ્રાફી જ્યારે એમને નિમણૂકપત્રો આપવામાં આવ્યા ત્યારે પણ ચેક કરવામાં આવ્યા હતા. જેના કારણે જે ઉમેદવાર પરીક્ષા આપવા આવ્યો હતો એ જ નિમણૂક મેળવે છે કે કેમ એની પુષ્ટિ થઈ શકી. આ ઉપરાંત ભૂતકાળમાં જે લોકોના નામ પેપર ગેરરીતિમાં આવી ચુક્યા છે એમની સામે અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યા હતા.

અગાઉ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીકની ઘટના બની હતી, જે પછી જુનિયર ક્લાર્ક અને તલાટી બંનેની પરીક્ષા મોસ્ટ ક્રેડિબિલિટી ધરાવનાર ઓફિસર હસમુખ પટેલ ના માર્ગદર્શન હેઠળ લેવાઈ હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ એક સુવ્યવસ્થિત સિસ્ટમેટિક કૌભાંડ : ED
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
ગુજરાતમાં ફરી ભૂકંપના આંચકા, કચ્છ પછી વાંસદામાં 2.7ની તીવ્રતા
g clip-path="url(#clip0_868_265)">