AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Navsari : નજીકના સમયમાં વરસાદ નહીં પડે તો જળસંકટનો ભય, નદીઓના સ્તર નીચા જતા સ્થાનિકો ચિંતાતુર બન્યા

નદી આસપાસના સ્થાનિક ગામના લોકો માટે પીવા અને સિંચાઇના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નદીમાં પાણીનું સ્તર ઘટવાના કારણે નદી કિનારે આવેલા ચીમનપાડા ગામમાં પાણીની અછતની બૂમો તાજેતરમાં પડી હતી.

Navsari : નજીકના સમયમાં વરસાદ નહીં પડે તો જળસંકટનો ભય, નદીઓના સ્તર નીચા જતા સ્થાનિકો ચિંતાતુર બન્યા
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2022 | 9:21 AM
Share

એકતરફ ગુજરાતમાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થતા નજીકના સમયમાં ચોમાસું બેસવાની આશા બંધાઈ છે તો સાથેસાથે મંગળવારે નવસારી(Navsari)માં વરસેલા વરસાદે ગરમીમાં રાહત સાથે હવે મેઘસવારીની સત્તાવાર પધરામણી દૂર નહિ હોવાના સંકેત આપ્યા છે. જો નજીકના સમયમાં વરસાદ ન વરસે તો નવસારીના કેટલાક વિસ્તારોમાં ચિંતાજનક સ્થિતિનું સર્જન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેરગામ તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીના કેટલાક વિસ્તારમાં પાણીની અછતની સમસ્યા શરૂ થઇ ગઈ છે . આ નદીઓ સ્થાનિકો માટે જીવાદોરી સમાન છે. પાણીની અછત અહીંના લોકો માટે અનેક પડકાર ઉભા કરી શકે છે.

નદી આસપાસના સ્થાનિક ગામના લોકો માટે પીવા અને સિંચાઇના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. નદીમાં પાણીનું સ્તર ઘટવાના કારણે નદી કિનારે આવેલા ચીમનપાડા ગામમાં પાણીની અછતની બૂમો તાજેતરમાં પડી હતી. ગત ચોમાસામાં ખેરગામ અને ધરમપુર તાલુકામાં અને ઉપરવાસમાં સારો વરસાદ થતાં લોકોમાં પાણીની જરૂરિતાતને લઈ વર્ષ સારું જવાની આશા બંધાઈ હતી. તાલુકામાંથી પસાર થતી તાન, માન અને ઔરંગા નદીમાં હવે પાણીના સ્તર ઘટવા માંડતા આસપાસના કિનારા વિસ્તારમાં કૂવા અને બોરના તળ પણ નીચા ગયા છે. આ સમસ્યાથી ખેડૂત ચિંતાના ગરકી ગયા છે છે. ખેરગામ તાલુકામાંથી પસાર થતી તાન અને  માન નદીના સંગમ બાદ ઔરંગા નદી તરીકે ઓળખ મેળવે છે.

ગૌરી ગામના સરપંચ પ્રકાશ પટેલના જણાવ્યા અનુસાર ગૌરી ગામ નજીકથી પસાર થતી તાન નદીમાં હાલ પાણી છે પરંતુ પીવાના પાણી માટે ગામના રાનપાડા અને આદિમજૂથ ફળિયામાં સરકારી બોરના જળસ્તર નીચા ગયા છે. બોર ફેઈલ થઇ રહ્યા છે. સરકારી અધિકારીઓએ આ મામલે સર્વે પણ કર્યું છે.હવે ગામમાં વાસમો દ્વારા પાઇપલાઇન હેઠળ પાણી આપવામાં આવશે. હાલ વીજ કંપનીની બાકી કામગીરી પૂર્ણ થવાનો ઇંતેજાર છેજે પૂર્ણ થયે નલ સે જલ યોજના દ્વારા પાણી તમામ લોકોને મળી રહે એવી વ્યવસ્થા થઈ રહી છે.

દર વર્ષે ઉનાળાના અંતિમ તબક્કામાં અહીંની નદીમાં પાણી સુકાતા ખેડતોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે પરંતુ આ વખતે ડાઘની જગ્યાએ ચેકડેમો પણ આશીર્વાદ સાબિત થયા છે. જોકે ચીમનપાડા, પાટી ગામના નદી આસપાસના અમુક વિસ્તારમાં પાણીના તળ નીચે જતા લોકો પીવાના પાણી અને સિંચાઈના પાણીને લઈ મુશ્કેલી પડી રહી છે.

Follow Us
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
અમરેલીમાં ચૂંટણી સમયે ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ઘર્ષણ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">