નવસારી(Navsari)ના નારણપોર ગામે પિતાએ જ કરી પુત્રની હત્યા કરી નાખ્યાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પિતા અનુસાર તેની હાથલાકડી બનવાના સ્થાને પિતા ઉપર બોજ બનેલા પુત્રના ત્રાસથી કંટાળેલા પિતાએ આવેશમાં આવી સગા પુત્રની હત્યા કરી નાખી છે. સૂત્રો અનુસાર પુત્ર વારંવાર પૈસાની માંગણી કરતો હતો જેની આ હરકતથી કંટાળેલા પિતાએ મધરાત્રે નિંદ્રાધીન પુત્ર પર કુહાડી વડે હુમલો કરી ઊંઘમાંજ તેનું ઢીમ ઢાળી દીધું હતું. બનાવ સંદર્ભે પોલીસે હત્યાનો ગુનો નોંધી મૃતકની લાશને પોસ્ટ મોટર્મ માટે ખસેડી પિતાની ધરપકડ કરી છે. હત્યાનો મામલો પૈસાની માંગણી જ છે કે અન્ય કોઈ કારણ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
નવસારી જિલ્લાના નારણપોર ગામે પિતા હેવાન બન્યો છે. પિતાએ તેના એકના એક પુત્ર પર જ કુહાડીથી ઘાતકી હુમલો કરી પુત્રને મોતને ઘાટ ઉતારી દીધો છે. સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર ખેરગામ તાલુકાના નારણપોર ગામ સ્થિત ઝઘડિયા ફળિયામાં રહેતા ભગુભાઈ પટેલ મજૂરી કરી પરિવારનું ચલાવે છે. ભગુભાઈનો 20 વર્ષીય પુત્ર ગણેશ કંઈ કામ ધંધો કરતો ન હતો. પરિવારમાં પૈસાની પડતી તકલીફોને લઈ પિતા – પુત્રમાં ઘણીવાર બોલચાલી થતી હતી. પરિવારનું ગુજરાન ચલાવવા આવકની તફલીફ પડતી હતી. આમ છતાં ગણેશ અવારનવાર પોતાના પિતા પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. આ બાબતને લઇ બને પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા પણ થતા હતા.
ગત મોડી રાત્રે પિતા ભગુ પટેલ દારૂના નશામાં હતા. ફરી પિતા – પુત્ર વચ્ચે તકરારમાં પુત્રએ ભગુભાઈને તમાચો ઝીકી લેતા પિતા ઉશ્કેરાઈ ગયો હતો જોકે તે સમયે તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. લગભગ આ સમયેજ પિતાએ ગણેશનું કાસળ કાઢી નાખવાનો કારસો મનમાં ગઢી કાઢ્યો હતો. રાતે ગણેશ સૂતો હતો ત્યારે પરિવારના એકના એક પુત્રને ઊંઘમાં જ કુહાડીના ઘા ઝીકી સગા બાપે તેનું મોત નિપજાવ્યું હતું. કઠોર મન કે પિશાચી હ્ર્દયના ગણી શકાય તેવા ભગુ પટેલે સગા દીકરાની કર્પોન હત્યા કરી નાખી અને ત્યાંજ હાજર રહ્યો હતો. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા લાશને પોસ્ટ મોટર્મ માટે ખસેડી પુત્રના હત્યારા પિતાની ધરપકડ કરી હતી. મામલે હત્યાનો ગુનો નોંધી પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
Published On - 11:17 am, Wed, 29 June 22