Narmada: 21 જૂને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંજલિ યોગ કેન્દ્રના યોગ સાધકો કરશે યોગ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાની રહેશે વિશેષ હાજરી

|

Jun 19, 2022 | 12:30 PM

રાજપીપળાના પતંજલિ યોગ કેન્દ્રના સાધકો પણ 21 જૂને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની (Mansukhbhai Mandviya) ઉપસ્થિતિમાં યોગ દિવસની (Yoga day) ઉજવણી કરવા ઉત્સુક છે અને તે માટે દરરોજ કરાતા યોગની સાથેસાથે યોગ દિવસના શિડ્યુઅલ મુજબ યોગ કરી રહ્યા છે

Narmada: 21 જૂને સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પતંજલિ યોગ કેન્દ્રના યોગ સાધકો કરશે યોગ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાની રહેશે વિશેષ હાજરી
પતંજલિ યોગ કેન્દ્રના યોગ સાધકો કરી રહ્યા છે યોગની પ્રેક્ટિસ

Follow us on

21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (International Yoga Day) છે. ત્યારે નર્મદા (Narmada) જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાની (Union Minister Mansukh Mandvia) હાજરીમાં 8મા વિશ્વ યોગ દિવસની ઉજવણી થશે. આ ઉજવણીમાં રાજપીપળામાં આવેલા શ્રીકૃષ્ણ મિરેકલ હવેલીમાં ચાલતા પતંજલિ યોગ કેન્દ્રના યોગ સાધકો યોગ કરશે. જેના માટે યોગ સાધકો પ્રેક્ટીસ કરી રહ્યા છે. યોગ કેન્દ્રના સંચાલક અને સાધકોએ કહ્યું કે, આમ તો તેઓ રોજ યોગ કરે છે પરંતુ યોગ દિવસની ઉજવણીને લઈ તેઓ ખુબ ઉત્સુક છે.

રાજપીપળામાં શ્રીકૃષ્ણ મિરેકલ હવેલી ખાતે ચાલતું યોગ કેન્દ્ર છેલ્લા સાત વર્ષથી કાર્યરત છે અને દરરોજ સવારે અહીં રાજપીપળાના શહેરીજનો નિયમિત યોગ કરે છે. આ યોગ કેન્દ્રમાં આવતા યોગ સાધકો વડાપ્રધાનના સંદેશને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે આગામી 21 જૂને ગુજરાતના ચાર આઈકોનિક સ્થળ પૈકી નર્મદાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરશે.

રાજપીપળાના પતંજલિ યોગ કેન્દ્રના સાધકો પણ 21 જૂને કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાની ઉપસ્થિતિમાં યોગ દિવસની ઉજવણી કરવા ઉત્સુક છે અને તે માટે દરરોજ કરાતા યોગની સાથેસાથે યોગ દિવસના શિડ્યુઅલ મુજબ યોગ કરી રહ્યા છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ તેઓ યોગ કરશે યોગ કેન્દ્ર સંચાલક ડો.ઉમાકાન્ત શેઠે જણાવ્યું હતું કે, અમે નિયમિત યોગ કરી તંદુરસ્ત રહીએ છે અને અન્ય લોકોને પણ પ્રેરણા આપીએ છે કે દરરોજ યોગ કરી તંદુસ્ત જીવન જીવવું જોઈએ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

મહત્વનું છે કે યોગ એ સંસ્કૃત શબ્દ છે. પ્રાચીન શારીરિક, માનસિક અને આદ્યાત્મિક પ્રણાલી એટલે કે યોગ. દર વર્ષે 21 જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં 21મી જૂનને યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ વર્ષે યોગ દિવસની ઉજવણી “Yoga for Humanity” માનવતા માટે યોગ થીમ પર કરવામાં આવશે.

Next Article