Narmada : જિલ્લાની મોટાભાગની દૂધ મંડળીઓ બંધ હાલતમાં, પશુપાલકોને મોટું નુકસાન

ઘણી મંડળીઓ એવી છે કે જેમાં પ્રમુખ અને મંત્રીની બેદરકારીને લીધે બંધ થઈ ગઈ છે. આવી જે મંડળીઓ છે તેમને નાના સેમિનારોનું આયોજન કરવું જોઈએ. જેથી પશુપાલકોને પણ આ સેમિનારમાંથી ખુબ સારી માહિતી મળી શકે.

Narmada : જિલ્લાની મોટાભાગની દૂધ મંડળીઓ બંધ હાલતમાં, પશુપાલકોને મોટું નુકસાન
Narmada: Most of the milk societies in the district are closed, causing great loss to the pastoralists
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 9:14 PM

નર્મદા જિલ્લામાં ગામડે ગામડે ચાલતી મોટાભાગની દૂધ ડેરીઓ બંધ હાલતમાં છે. ઘણી ડેરીઓ ફડચામાં ગઈ છે. આમ તો નર્મદા જિલ્લામાં ગામડાઓમાં દૂધના ધંધા પર નિર્ભર ઘણા લોકો પોતાનું ગુજરાન ચલાવે છે. પણ હાલમાં ગુજરાત સરકારના એક સર્વેમાં જાણવા મળ્યું કે 152 દૂધ ડેરીઓ બંધ હાલતમાં છે. દૂધ મંડળીઓમાં પૂરતું દૂધ ઉત્પાદન થતું હતું તે હવે થતું નથી. જેથી પશુપાલન ક્ષેત્રે ખુબ મોટું નુકસાન થઈ રહ્યું છે.

ઘણી મંડળીઓ એવી છે કે જેમાં પ્રમુખ અને મંત્રીની બેદરકારીને લીધે બંધ થઈ ગઈ છે. આવી જે મંડળીઓ છે તેમને નાના સેમિનારોનું આયોજન કરવું જોઈએ. જેથી પશુપાલકોને પણ આ સેમિનારમાંથી ખુબ સારી માહિતી મળી શકે. આ સેમિનારોમાં જે મંડળીઓ સારી રીતે ચાલે છે. તેના ઉદાહરણો આપવા જોઈએ જેથી નર્મદા જિલ્લામાં દૂધ મંડળીઓ ફરીથી શરુ થાય તેવી રજૂઆત પણ મનસુખ વસાવા સહકાર ક્ષેત્રમાં વિનંતી કરશે.

નર્મદા જિલ્લામાં ભરૂચ દૂધડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ દ્વારા પાટડા મંડળીઓની રચના કરી હતી. એટલે કે જયારે ચૂંટણી આવે ત્યારે ગામેગામ 2-2 મંડળીઓની રચના કરવામાં આવે છે. જેથી વોટ મળી શકે એટલે કે વોટ લેવા માટે મંડળીઓની સ્થાપના કરવામાં આવે છે. જેમકે ટોરના ,ભચારવાળા,નામલગઢ,ધાનપોર એવી કેટલીય દૂધ મંડળીઓ છે કે જેની સ્થાપના માત્ર ચૂંટણી પૂરતી કરવામાં આવે છે. પછી તેને બંધ કરી દેવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

હાલ જયારે આ ગામોની મુલાકાત લીધી. તો એ ગામમાં ન તો દૂધ મંડળીઓનું કોઈ બોર્ડ છે કે ન તો ત્યાં કોઈ રજીસ્ટર મંડળીઓ છે. હાલ પણ ઘણા ગામોમાં મહિલા દૂધ મંડળીઓ બનવામાં આવી છે જે બંધ હાલતમાં છે. ને ગામના લોકોને બીજા ગામમાં દૂધ આપવા માટે જવું પડે છે. જેથી ખર્ચ પણ વધી જાય છે.

ભાડે ટેમ્પો કરીને બાજુના ગામમાં 10 થી 15 કિલોમીટર દૂર સુધી આપવા જવું પડે છે. જેથી પૈસા અર્પણ ઓછા મળે છે ગામમાં જે મંડળી ચાલતી હતી. તે મંડળીના પ્રમુખ અને મંત્રીના અણગઢ વહીવટના કારણે ભાકરવાળા મંડળીને હાલ બંધ કરવાનો વારો આવ્યો છે. જયારે દુધધારા ડેરી દ્વારા ઘણી મંડળીઓ કાગળ પર જ છે. ટેન્કર બહારથી ભરી લાવીને એન્ટ્રી પાડી દેવામાં આવે છે. અને ગ્રામજનોનું દૂધ પણ લેવામાં આવતું નથી.

નર્મદા જિલ્લામાં એક પણ સ્વતંત્ર દૂધ સંઘ નથી. જેથી ભરૂચ દુધધારા ડેરી સાથે સંયુક્ત રીતે ચલાવવામાં આવી રહ્યું છે.

Latest News Updates

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">