આધુનિક સમયમાં NDRF ટેકનોલોજી સાથે થયું વધુ સજજ, બજેટમાં કરવામાં આવ્યો 122 ટકાનો વધારોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ

|

Jun 26, 2022 | 7:10 AM

કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે (Amit Shah)કેવડિયામાં આપદા વ્યવસ્થાપન અંગેની બેઠકમાં જણાવ્યું હતું કે ગૃહમંત્રાલય NDMA અને NDRF સાથે સંયુક્ત રીતે કુદરતી આફતો દરમિયાન તમામ પ્રકારની સહાય પૂરી પાડીને મહત્વનું કાર્ય કરે છે.

આધુનિક સમયમાં NDRF ટેકનોલોજી સાથે થયું વધુ સજજ, બજેટમાં કરવામાં આવ્યો 122 ટકાનો વધારોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
Amit Shah

Follow us on

નર્મદા જિલ્લાના કેવડિયા (Kevadiya)ખાતે કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહે (Central Home Minister Amit Shah)આપદા વ્યવસ્થાપન (Disaster Management)અંગે સંસદીય સલાહકાર બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં તેમણે NDRF  અંગે જણાવ્યું હતું કે પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા છેલ્લા 8 વર્ષોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટેના બજેટની જોગવાઈમાં 122 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યેની પ્રાથમિકતા દર્શાવે છે.

તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળની વર્તમાન સરકારે આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યે સર્વગ્રાહી અભિગમ અપનાવતા NDRFને રાહત કેન્દ્રિત ન રાખતા તેને પ્રાથમિક ચેતવણી-કેન્દ્રિત, સક્રિય અને પ્રારંભિક તૈયારી આધારિત બનાવી છે. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી મોદી દ્વારા છેલ્લા આઠ વર્ષમાં આપત્તિ વ્યવસ્થાપન માટેની બજેટની જોગવાઈમાં 122 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે આપત્તિ વ્યવસ્થાપન પ્રત્યેની પ્રાથમિકતા દર્શાવે છે

આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના કાર્યો અને વ્યવસ્થાપન અંગે વિગતવાર વાત કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ ગૃહમંત્રાલય NDMA (National Disaster Management Authority )અને NDRF (National Disaster Response Force)ના સંકલન અંગે જણાવ્યું હતું કે , આ ત્રણેય વિભાગ એકબીજા સંકલન સાધીને કુદરતી આફતો દરમિયાન લોજિસ્ટિક્સ અને નાણાકીય સહાય પૂરી પાડીને તેમજ પ્રતિભાવ અને રાહત પગલાંનું સંકલન કરીને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે ગૃહમંત્રીએ કહ્યું કે આપદા મિત્ર યોજનામાં જનભાગીદારીની ભાવના ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે જ્યાં સુધી લોકો તેમાં જોડાય નહીં ત્યાં સુધી ડિઝાસ્ટર મેનેજમેન્ટનું કામ છેક સુધી પહોંચતું નથી . સાથે જ તેમણે સમિતિના સભ્યોને આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ-2005માં વિગતવાર સુધારા માટે તેમના સૂચનો આપવા વિનંતી કરી

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સાથે જ તેમણે ઉલ્લેખ કર્યો હતો કે ડિઝાસ્ટર મેનેજમેન્ટના ક્ષેત્રમાં ભારત વિશ્વમાં મોખરે છે અને 2047માં આઝાદીના સો વર્ષ પૂરા થવાથી ભારત આ ક્ષેત્રમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરશે, આ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય, NDMA અને NDRF સંપૂર્ણ પ્રયાસો કરી રહ્યા છે. સાથે જ તેમણે ઉમેર્યું હતું કે ભારતમાં આપત્તિ વ્યવસ્થાપનનો ખ્યાલ પ્રાચીન સમયથી અસ્તિત્વમાં છે અને પ્રાચીન સમયમાં શહેરની રચના સમયે આપત્તિ વ્યવસ્થાપનનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. આજે આધુનિક સમયમાં લોકોને કુદરતી આફતોની વહેલી ચેતવણી આપવા માટે SMS, મોબાઇલ એપ્લિકેશન્સ અને પોર્ટલ જેવી નવીન ટેકનિક દ્વારા સત્વરે માહિતી અને ચેતવણી પહોંચાડવામાં આવે છે.

રાષ્ટ્રીય -રાજ્ય સ્તરે પ્રથમવાર મિટિગેશન ફંડની રચના

આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે NDRFના સુચારૂ સંચાલન માટે રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સૌપ્રથમવાર મિટિગેશન ફંડની રચના કરવામાં આવી છે, 2021-22 થી 2025-26ના સમયગાળા માટે નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ માટે 13,693 કરોડ રૂપિયા અને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ માટે 32,031 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરવામાં આવી છે. સાથે જ NDRFને સમગ્ર દેશમાં મજબૂત, આધુનિક અને વિસ્તરણ કરવામાં આવી રહ્યું છે, તેના દ્વારા રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સીસ અને સ્થાનિક સમુદાયને આપત્તિ પ્રતિભાવમાં તાલીમ આપવાનું પણ ફરજિયાત કરવામાં આવ્યું છે તો કેન્દ્ર સરકાર દરિયાઈ આપત્તિઓને પહોંચી વળવા 8 દરિયાકાંઠાના રાજ્યોમાં નેશનલ સાયક્લોન રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ (NCRMP) ને અમલમાં મૂકી રહી છે સામુદાયિક ક્ષમતા નિર્માણ માટે ‘આપદામિત્ર’ કાર્યક્રમ હેઠળ 350 આપત્તિગ્રસ્ત જિલ્લાઓમાં 1,00,000 સમુદાય સ્વયંસેવકોને આપત્તિ પ્રતિભાવ અને સજ્જતા માટે તાલીમ આપવામાં આવી રહી છે. સાથે જ આ ક્ષેત્રમાં પ્રોત્સાહન પુરસ્કારની વાત કરતા અમિત શાહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્તરે નેતાજી સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની જેમ દેશના રાજ્યો પણ આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે પુરસ્કાર આપી શકે છે અને પુરસ્કાર માટે વ્યક્તિઓ અને સંસ્થાઓના નામ માટે સૂચનો પણ મોકલી શકે છે

Next Article