નર્મદા : ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડામાં ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું, જુઓ વીડિયો
નર્મદા : ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડા ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ અવસરે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
નર્મદા : ભરૂચ લોકસભા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાના ગઢ ડેડીયાપાડા ખાતે ભાજપનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. આ અવસરે ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા.
લોકસભાની ચૂંટણીના પડઘમ વાગવાની સાથે જ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર શરૂ કરી દિધો છે. ભરૂચ બેઠક પર સતત સાતમી વખત ચૂંટણી લડી રહેલ મનસુખ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડા ખાતે કાર્યકર સંમેલન રાખવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને હાલ માજ બીજેપીમાં પ્રવેશેલા મહેશ વસાવા પહેલવાર ભાજપના જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહ્યા રહ્યા હતા. તમામ નેતાઓના નિશાના પર આપ ઉમેદવાર ચૈતર વસાવા રહ્યા હતા.
Input Credit : Vishal Pathak, Narmada
ભરૂચ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

