સાબરકાંઠામાં ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીઓ માટે સ્થિતિ ગંભીર, ઓટીમાં દાખલ કરાય છે દર્દીઓને, નવા દર્દીઓ માટે ના

સાબરકાંઠા જિલ્લામાં આવેલી જીએમઇઆરએસ સીવીલ હોસ્પીટલમાં, હવે કોરોનાને લઇને સ્થિતી ગંભીર બની છે. કોરાના દર્દીઓથી હવે સીવીલ હોસ્પીટલ, જાણે કે ઉભરાવા લાગી છે. તો બીજી તરફ સીવીલ હોસ્પીટલ ઓક્સિજનના અભાવને, લઇને દર્દીઓની સારવાર કરવા માટે મુશ્કેલી અનુભવી રહી છે. સતત છ માસથી એક ધારી રીતે સારવાર કરી રહેલા તબીબોને, દર્દીઓને સાજા કરવા માટે હવે મુશ્કેલ […]

સાબરકાંઠામાં ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીઓ માટે સ્થિતિ ગંભીર, ઓટીમાં દાખલ કરાય છે દર્દીઓને, નવા દર્દીઓ માટે ના
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Sep 22, 2020 | 2:49 PM

સાબરકાંઠા જિલ્લામાં આવેલી જીએમઇઆરએસ સીવીલ હોસ્પીટલમાં, હવે કોરોનાને લઇને સ્થિતી ગંભીર બની છે. કોરાના દર્દીઓથી હવે સીવીલ હોસ્પીટલ, જાણે કે ઉભરાવા લાગી છે. તો બીજી તરફ સીવીલ હોસ્પીટલ ઓક્સિજનના અભાવને, લઇને દર્દીઓની સારવાર કરવા માટે મુશ્કેલી અનુભવી રહી છે.

સતત છ માસથી એક ધારી રીતે સારવાર કરી રહેલા તબીબોને, દર્દીઓને સાજા કરવા માટે હવે મુશ્કેલ તબક્કો લાગી રહ્યો છે. ઓક્સિજનનો અભાવ સર્જાવાને લઇને, અનેક વાર વિનંતી મૌખીક રીતે કર્યા બાદ હવે, આરોગ્ય વિભાગને લેખિત પત્ર લખીને દર્દીઓના જીવ બચાવવા માટે રજુઆત હાથ ધરી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સીવીલ હોસ્પીટલમાં ઓક્સિજનના બાટલાની તીવ્ર અછત વર્તાઇ રહી છે. જેને લઇને હવે દર્દીઓને સારવાર આપવી એ જાણે કે તબીબો માટે મુશ્કેલ બની ગયુ છે. તબીબો પણ દર્દીઓની દયનીય સ્થિતી જોઇને મુશ્કેલી અનુભવી રહ્યા છે.

આ ગંભીર સ્થિતીને હળવી કરવા માટે તબીબો અને સિવીલ સત્તાવાળાઓએ બેઠકો યોજી ને તંત્રને રજુઆત કરી હતી. છતાં કોઇ ખાસ અસરકારકતા નહિ જણાતા હવે જિલ્લા કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા આરોગ્ય અધિકારીને પત્ર લખીને ગંભીર સ્થિતી અંગે વાકેફ કર્યા છે.

સીવીલ હોસ્પીટલમાં ઓક્સિજનના અભાવે સ્થિતી એટલી ગંભીર બની છે. કે ખાનગી અને અન્ય હોસ્પીટલોને દર્દીઓને રીફર કરી મોકલવા પર લેખીતમાં ધરાર ના ભણી દેવાઇ છે. હાલમાં 100 બેડ નો કોવીડ વિભાગ દર્દીઓ થી ભરાઇ ચુક્યો છે.આ ઉપરાંત પણ સાંઇઠ જેટલા દર્દીઓ અન્ય ઇમરજન્સી વોર્ડ અને ઓટીમાં  રાખી સારવાર કરાઇ રહી છે.

મેડીકલ આઇસીયી અને ઇમરજન્સી ઓપરેશન થીયેટરમાં પણ દર્દીઓને રાખીને દર્દીઓના જીવ બચાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે આ બધાજ પ્રયાસો હવે જોખમી થઇ રહ્યા હોવાનુ સિવીલ સત્તાવાળાઓનુ માનવુ છે. કારણ કે ઓક્સિજન કેપેસીટી કરતા વધુ દર્દીઓની સારવાર જોખમકારક સાબિત થઇ શકે છે. આમ હવે સીવીલ સત્તાવાળાઓએ સ્થિતીને નિવારવા માટે લેખિત પત્ર લખી જાણકારી આપી છે.

તો બીજી તરફ જિલ્લા આરોગ્ય અધીકારી મુજબ જીલ્લામાં અન્ય ત્રણ સ્થળે કોરોના સારવાર માટે સુવિધા ઉપલબ્ધ કરાવવા તજવીજ હાથ ધરાઈ છે. હિમતનગરની આવિષ્કાર હોસ્પિટલમાં ૧૧ આઈસીયુ અને ૩૫ બેડ સુવિધા, ઇડરની લાઈફ લાઈન હોસ્પિટલમાં ૧૬ આઈસીયુ અને ૩૦ બેડ સુવિધા અને તલોદની આશીર્વાદ હોસ્પિટલમાં ૧૦ બેડની સુવિધા સારવાર માટે વ્યવસ્થા હાથ ધરી છે. ઉપરાંત ઇડરની સરકારી સીવીલ હોસ્પીટલમાં ૨૦ બેડ સેન્ટ્રલાઈઝડ ઓક્સિજન સુવિધા સાથે શરુ કરવા પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચોઃરાજકોટમાં આજે કોરોનાથી વધુ 19ના મૃત્યુ, ડેથ ઓડીટ કમિટી જાહેર કરશે મોતનુ સાચુ કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">