કોરોનાથી રાજકોટમાં મોતનો આંકડો ફરી વધ્યો છે. રાજકોટમાં કોરોનાના કારણે સતત મોત થઇ રહ્યા છે. જેથી રાજકોટવાસીઓમાં ચિંતા છવાઇ છે. રાજકોટમાં આજે વધુ 17 દર્દીના મોત થયા છે. પાછલા કેટલાક દિવસોથી જિલ્લા અને શહેરમાં મોતનો આંકડો વધી રહ્યો છે. જોકે, રવિવારે 9 દર્દીઓના મોત થયા હતા. જે થી જિલ્લા આરોગ્ય તંત્રને હાશકારો અનુભવ્યો હતો. પરંતુ, આજે ફરી એકાએક મોતનો આંકડો વધતા હાહાકાર મચ્યો છે. હવે તો રાજકોટવાસીઓ કોરોનાનો જલ્દી ઉકેલ આવે તે માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યાં છે. જો કે મૃત્યુ પામેલા દર્દીઓનો સાચો આકડો ડેથ ઓડીટ કમિટી જાહેર કરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો