છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના નવા 388 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 29 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ દર્દીની સંખ્યા 7013 થઈ ગઈ છે. 26 લોકોની તબિયત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. રાજ્ય સરકારે માહિતી આપી કે ગુજરાતમાં 1 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. અગત્યની જાણકારી આપતાં અગ્ર સચિવ જયંતિ રવિએ કહ્યું કે આર્યુવેદિક દવાથી સારા પરિણામ મળ્યા છે. 4853 કોરોના પોઝિટિવ દર્દીઓ જે સારવાર લઈ રહ્યાં છે તેમની તબિયત સ્થરિ છે.
આજે ક્યાં જિલ્લામાં કેટલા નવા કેસ નોંંધાયા?
રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 388 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદમાં 275 કેસ, અરવલ્લીમાં 25 કેસ, ભાવનગરમાં 01 કેસ, દાહોદમાં 04 કેસ, દેવભૂમિ દ્રારકામાં 01 કેસ, ગાંધીનગરમાં 05 કેસ, જામનગરમાં નવા 04 કેસ, ખેડામાં નવા 03 કેસ, રાજકોટમાં 02 કેસ, સુરતમાં 45 કેસ, વડોદરામાં 19 કેસ અને બનાસકાંઠામાં 03 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 29 લોકોના મોત થયા છે જ્યારે 209 લોકોને સ્વસ્થ થયા બાદ તેમના ઘરે મોકલવામાં આવ્યા છે.
રાજ્યમાં જિલ્લાવાર કુલ કોરોના વાઈરસના કેસની સંખ્યા
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 2:48 pm, Thu, 7 May 20