સ્વામીનારાયણના સંતે કરેલી વિવાદી ટિપ્પણી પર રમેશભાઈ ઓઝાએ આપી આકરી પ્રતિક્રિયા

Morbi: સ્વામીનારાયણના એક સંત દ્વારા ભગવાન શિવ વિશે કરાયેલા બફાટ અંગે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ તીખી પ્રતિક્રિયા આપી છે અને સ્વામીનારાયમના સંતોને ઉદ્દેશીને કહ્યુ છે આ બધુ રોકો, તમારા આરાધ્ય દેવ પ્રત્યે શ્રદ્ધા રાખો પરંતુ બીજાને હીણા ચીતરવાનું દુ:સાહસ ન કરો.

સ્વામીનારાયણના સંતે કરેલી વિવાદી ટિપ્પણી પર રમેશભાઈ ઓઝાએ આપી આકરી પ્રતિક્રિયા
રમેશભાઈ ઓઝા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 8:12 PM

તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાય (Swaminarayan)ના એક સંત દ્વારા ભગવાન શંકર (Lord Shiv) તેમજ અન્ય દેવતાઓ વિશે કરાયેલા વિવાદીત નિવેદન મુદ્દે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ચોમેરથી સનાતન ધર્મના લોકોએ તેનો આકરો વિરોધ કર્યો છે. આ મુદ્દે હવે ભાગવત્ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા (Rameshbhai Ojha)એ તીખી પ્રતિક્રિયા આપી છે. મોરબીમાં આયોજિત શ્રીમદ ભાગવત કથામાં ભાઈશ્રીએ સ્વામીનારાયણના સંતોની હાજરીમાં જ આ પ્રકારના નિવેદનોનો વિરોધ કર્યો છે. રમેશભાઈ ઓઝાએ જણાવ્યુ કે ભગવાન ભોળાનાથ એ દેવાધિદેવ, દેવોના દેવ છે. તેમનાથી મોટુ કોઈ ના હોય. વ્યાસપીઠ પરથી ભાઈશ્રીએ આવા નિવેદનોને વખોડતા કહ્યું કે આવા સંતોના નિવેદનોના કારણે સનાતન ધર્મનું વાતાવરણ ન બગડવુ જોઈએ.

તેમણે કહ્યું સ્વામીનારાયણના સંતો આગળ આવે અને આવા નિવેદનોનો વિરોધ કરે. તેમણે કહ્યું તમારા ધર્મમાં શ્રદ્ધા રાખો, પરંતુ અન્ય ધર્મોને નીચા દેખાડવાનો પ્રયાસ ન કરો. ભાઈશ્રીએ ઉમેર્યુ કે સ્વામીનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મનો જ એક ભાગ છે. વધુમાં ભાઈશ્રીએ કહ્યું કે સંતો આ પ્રકારના નિવેદન આપે છે તેનો મતલબ એમ થાય છે કે ક્યાક આ બધુ ચોપડામાં ચિતરાયેલુ છે. પરંતુ જે ખોટુ ચિતરાયુ છે, ખોટુ લખાયુ છે તેને દૂર કરવુ જોઈએ.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

“ભોળાનાથના મહિમાને ન સમજે તેની બુદ્ધિ પર તરસ ખાઓ” ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ કહ્યું કે જે ભોળાનાથના મહિમાને ન સમજે તેમની બુદ્ધિ પર તરસ ખાઓ. ભોળાનાથને પગે લગાવડાવે એ પ્રબોધ તો કેવી રીતે હોય? તેમણે કહ્યું વ્યાસપીઠ કોઈના પર રાગ દ્રૈશના કોગળા કરવા માટે નથી. વ્યાસપીઠ પર બેસનારો ખૂબ વિવેકથી બોલે પણ જે બોલાવા જેવુ હોય અને બોલવુ જરૂરી હોય એ બોલે જ. કારણ કે વ્યાસ પીઠ એના માટે છે. રમેશભાઈ ઓઝાએ કહ્યુ “કોઈ રાગ દ્વેશ સાથે નહીં પરંતુ હાથ જોડીને કહેવુ છે કે જાળવી જાઓ. વાતાવરણ ન બગાડો, તમારા આરાધ્યદેવ પ્રત્યે અનન્ય ભાવ, શ્રદ્ધા રાખો, એને ભગવાન માનીને પૂજવા હોય તો છૂટ છે પરંતુ બીજાને હીણા ચીતરવાનુ દુ:સાહસ ન કરો. બીજાને નીચા ચીતરી મહિમા વધારવાની આ તમારી નબળાઈ છે.”

કથામાં બેસેલા સ્વામીનારાયણના સંતોને ઉદ્દેશીને ભાઈશ્રીએ કહ્યું, “આ બધુ રોકો”

ભાઈશ્રીએ કથામાં ઉપસ્થિત સ્વાનારાયણના સંતોને ઉદ્દેશીને કહ્યું કે આપને પ્રાર્થના કરુ છુ કે આપ સહુ ભેગા થઈ આવુ બધુ રોકો. સનાતન ધર્મ માટે એ જરૂરી છે. આવુ જ્યાં થતુ હોય ત્યાં રોકો. આપ લોકો જ ઠાકોરજીની સેનાના સૈનિક છો. આ તકે ભાઈશ્રીએ કહ્યુ કે જે સમજદાર સંતો છે તેમણે આગળ આવી આ રોકવુ જોઈએ. તેમણે કહ્યુ વાતાવરણ બગડે એ રીતે જવાબ આપવાનો નથી. પરંતુ આ બધુ બંધ થવુ જોઈએ. આપ સહુ સંપ્રદાયના સંતોએ જ સૌપ્રથમ તેને રોકવુ પડશે. બીજી તરફ તેમણે એ પણ ટકોર કરી કે આવુ બોલાઈ રહ્યુ છે એનુ કારણ ક્યાંકને ક્યાંક આવા ચોપડા ચિતરાયા છે. આ ચોપડાઓને કાઢવા જરૂરી છે. એ ખોટા ચિતરાઈ ગયા છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">