AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વામીનારાયણના સંતે કરેલી વિવાદી ટિપ્પણી પર રમેશભાઈ ઓઝાએ આપી આકરી પ્રતિક્રિયા

Morbi: સ્વામીનારાયણના એક સંત દ્વારા ભગવાન શિવ વિશે કરાયેલા બફાટ અંગે ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ તીખી પ્રતિક્રિયા આપી છે અને સ્વામીનારાયમના સંતોને ઉદ્દેશીને કહ્યુ છે આ બધુ રોકો, તમારા આરાધ્ય દેવ પ્રત્યે શ્રદ્ધા રાખો પરંતુ બીજાને હીણા ચીતરવાનું દુ:સાહસ ન કરો.

સ્વામીનારાયણના સંતે કરેલી વિવાદી ટિપ્પણી પર રમેશભાઈ ઓઝાએ આપી આકરી પ્રતિક્રિયા
રમેશભાઈ ઓઝા
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2022 | 8:12 PM
Share

તાજેતરમાં સ્વામીનારાયણ સંપ્રદાય (Swaminarayan)ના એક સંત દ્વારા ભગવાન શંકર (Lord Shiv) તેમજ અન્ય દેવતાઓ વિશે કરાયેલા વિવાદીત નિવેદન મુદ્દે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ચોમેરથી સનાતન ધર્મના લોકોએ તેનો આકરો વિરોધ કર્યો છે. આ મુદ્દે હવે ભાગવત્ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝા (Rameshbhai Ojha)એ તીખી પ્રતિક્રિયા આપી છે. મોરબીમાં આયોજિત શ્રીમદ ભાગવત કથામાં ભાઈશ્રીએ સ્વામીનારાયણના સંતોની હાજરીમાં જ આ પ્રકારના નિવેદનોનો વિરોધ કર્યો છે. રમેશભાઈ ઓઝાએ જણાવ્યુ કે ભગવાન ભોળાનાથ એ દેવાધિદેવ, દેવોના દેવ છે. તેમનાથી મોટુ કોઈ ના હોય. વ્યાસપીઠ પરથી ભાઈશ્રીએ આવા નિવેદનોને વખોડતા કહ્યું કે આવા સંતોના નિવેદનોના કારણે સનાતન ધર્મનું વાતાવરણ ન બગડવુ જોઈએ.

તેમણે કહ્યું સ્વામીનારાયણના સંતો આગળ આવે અને આવા નિવેદનોનો વિરોધ કરે. તેમણે કહ્યું તમારા ધર્મમાં શ્રદ્ધા રાખો, પરંતુ અન્ય ધર્મોને નીચા દેખાડવાનો પ્રયાસ ન કરો. ભાઈશ્રીએ ઉમેર્યુ કે સ્વામીનારાયણ સંપ્રદાય એ સનાતન ધર્મનો જ એક ભાગ છે. વધુમાં ભાઈશ્રીએ કહ્યું કે સંતો આ પ્રકારના નિવેદન આપે છે તેનો મતલબ એમ થાય છે કે ક્યાક આ બધુ ચોપડામાં ચિતરાયેલુ છે. પરંતુ જે ખોટુ ચિતરાયુ છે, ખોટુ લખાયુ છે તેને દૂર કરવુ જોઈએ.

“ભોળાનાથના મહિમાને ન સમજે તેની બુદ્ધિ પર તરસ ખાઓ” ભાઈશ્રી રમેશભાઈ ઓઝા

ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાએ કહ્યું કે જે ભોળાનાથના મહિમાને ન સમજે તેમની બુદ્ધિ પર તરસ ખાઓ. ભોળાનાથને પગે લગાવડાવે એ પ્રબોધ તો કેવી રીતે હોય? તેમણે કહ્યું વ્યાસપીઠ કોઈના પર રાગ દ્રૈશના કોગળા કરવા માટે નથી. વ્યાસપીઠ પર બેસનારો ખૂબ વિવેકથી બોલે પણ જે બોલાવા જેવુ હોય અને બોલવુ જરૂરી હોય એ બોલે જ. કારણ કે વ્યાસ પીઠ એના માટે છે. રમેશભાઈ ઓઝાએ કહ્યુ “કોઈ રાગ દ્વેશ સાથે નહીં પરંતુ હાથ જોડીને કહેવુ છે કે જાળવી જાઓ. વાતાવરણ ન બગાડો, તમારા આરાધ્યદેવ પ્રત્યે અનન્ય ભાવ, શ્રદ્ધા રાખો, એને ભગવાન માનીને પૂજવા હોય તો છૂટ છે પરંતુ બીજાને હીણા ચીતરવાનુ દુ:સાહસ ન કરો. બીજાને નીચા ચીતરી મહિમા વધારવાની આ તમારી નબળાઈ છે.”

કથામાં બેસેલા સ્વામીનારાયણના સંતોને ઉદ્દેશીને ભાઈશ્રીએ કહ્યું, “આ બધુ રોકો”

ભાઈશ્રીએ કથામાં ઉપસ્થિત સ્વાનારાયણના સંતોને ઉદ્દેશીને કહ્યું કે આપને પ્રાર્થના કરુ છુ કે આપ સહુ ભેગા થઈ આવુ બધુ રોકો. સનાતન ધર્મ માટે એ જરૂરી છે. આવુ જ્યાં થતુ હોય ત્યાં રોકો. આપ લોકો જ ઠાકોરજીની સેનાના સૈનિક છો. આ તકે ભાઈશ્રીએ કહ્યુ કે જે સમજદાર સંતો છે તેમણે આગળ આવી આ રોકવુ જોઈએ. તેમણે કહ્યુ વાતાવરણ બગડે એ રીતે જવાબ આપવાનો નથી. પરંતુ આ બધુ બંધ થવુ જોઈએ. આપ સહુ સંપ્રદાયના સંતોએ જ સૌપ્રથમ તેને રોકવુ પડશે. બીજી તરફ તેમણે એ પણ ટકોર કરી કે આવુ બોલાઈ રહ્યુ છે એનુ કારણ ક્યાંકને ક્યાંક આવા ચોપડા ચિતરાયા છે. આ ચોપડાઓને કાઢવા જરૂરી છે. એ ખોટા ચિતરાઈ ગયા છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">