મોઢેરાના સૂર્યમંદિરનો આટલો અદભુત નજારો તમે ભાગ્યે જ જોયો હશે, જુઓ EXCLUSIVE તસ્વીરો
વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં સ્થાપત્ય અને નૃત્યનો અનોખો સંગમનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય દ્વ્રિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ થયો છે. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ આ મહોત્સવને દીપ પ્રગટ્ય કરીને ખુલ્લો મુક્યો હતો. મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૨ ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત […]
વિશ્વ પ્રસિધ્ધ ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિરના પ્રાગણમાં સ્થાપત્ય અને નૃત્યનો અનોખો સંગમનો નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. ઉત્તરાયણ પછી ઉજવાતા શાસ્ત્રીય નૃત્ય દ્વ્રિ દિવસીય ઉત્તરાર્ધ ઉત્સવનો પ્રારંભ થયો છે. રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ આ મહોત્સવને દીપ પ્રગટ્ય કરીને ખુલ્લો મુક્યો હતો.
મોઢેરા સૂર્યમંદિર ખાતે રાજ્ય સરકાર દ્વારા ૧૯૯૨ ના વર્ષથી ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ,જિલ્લા વહીવટીતંત્ર અને વેસ્ટઝોન કલ્ચરલ સેન્ટર ઉદયપુર દ્વારા આ મહોત્સવનું આયોજન કરાયું છે.
મહોત્સવના પ્રથમ દિવસે અનંત ભાસ્કર મેનન અમદવાદ દ્વારા ભરતનાટ્યમ, સુશ્રી શીલા મહેતા મુંબઇ દ્વારા કથ્થક નૃત્ય, સુશ્રી દેબશ્રીતા મોહન્તી સુરત દ્વારા ઓડીસી નૃત્ય, સુશ્રી હર્ષા ઠક્કર રાજકોટ દ્વારા કથ્થક નૃત્ય, શ્રી ડો.વી.રામકિર્ષ્ણ તેલંગાણા દ્વારા કુચીપુડી, સુશ્રી સ્વાતિ દાતાર પુના દ્વારા ભરત નાટ્યમ અને શ્રી કબીતા માહંતી હરીયાણા દ્વારા ઓડીશી નૃત્ય રજુ કરી નૃત્યકારોએ પ્રાચીન શૈલીને જીવંત રાખી હતી.
[yop_poll id=1040]