AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM ના વતનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ST બસ શરુ, જાણો ગુજરાતમાં અન્ય ક્યાંથી ક્યાં શરુ થઇ ખાસ બસ સેવા

રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા ગુજરાત એસટી નિગમે મહત્વનો નિર્ણય લીધો છે. પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને ચાર સ્થળો માત બસના ખાસ રૂટ શરુ કર્યા છે.

PM ના વતનથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની ST બસ શરુ, જાણો ગુજરાતમાં અન્ય ક્યાંથી ક્યાં શરુ થઇ ખાસ બસ સેવા
ST bus service will be started for four tourist destinations in Gujarat
Manish Mistri
| Edited By: | Updated on: Sep 30, 2021 | 6:40 PM
Share

રાજ્યમાં કોરોનાના કેસ ઘટ્યા છે. કેસ ઘટતા જ પ્રવાસન સ્થળો પર ફરી ભીડ જોવા મળી રહી છે. લોકો લાંબા સમાયથી કોરોનાના ડરના કારણે ક્યાંક જવા આવવામાં ડરે છે ત્યારે હવે બહારની હવા માણી રહ્યા છે. આ જોતા ગુજરાત એસટી નિગમે મહત્વનો નિર્ણય લીધો છે. અને પ્રવાસીઓને ધ્યાનમાં રાખીને બસના રૂટ વધાર્યા છે.

વડનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી સ્પેશ્યલ બસ શરૂ કરવામાં આવી છે. જેના દ્રશ્યો પણ સામે આવ્યા. વડાપ્રધાનના વતન વડનગરથી શરૂ કરાયેલી આ બસનું સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરાયું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાઈ સોમાભાઈ મોદીએ પણ આ બસની સવારી કરી છે. સાથે ઉંઝા ધારાસભ્ય અને ઉંઝા apmc ના ચેરમેન પણ કરી આ બસ સવારીમાં જોડાયા હતા. તમને જણાવી દઈએ કે વડનગરથી વહેલી સવારે 4 વાગે અને રાત્રે 9 વાગે એમ બે બસો દોડશે.

જણાવી દઈએ કે એસટી નિગમે એક્સપ્રેસ બસ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેમાં ઘણા બસ રૂટ શરુ કરવાનું કહેવામાં આવ્યું છે. આ રૂટમાં વડાપ્રધાન મોદીના વતન વડનગરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમદાવાદથી પાવાગઢ (માંચી), ગાંધીનગરથી દાંડી, અમદાવાદથી ધોળાવીરા એક્સપ્રેસ બસની જાહેરાત થઇ છે.

આ ઉપરાંત ભચાઉથી ધોળાવીરા, ધોળાવીરાથી રાપર, અંજારથી ધોળાવીરાથી ખરોડા, આ સાથે જ ભુજથી ધોળાવીરા થઈને ડુંગરાનીવાંઢના રૂટ પર લોકલ બસ દોડાવવામાં આવશે.

માહિતી અનુસાર PM ના વતન વડનગરથી સ્ટેસ્યુ ઓફ યુનિટી જતી આવતી બસ શરુ કરવામાં આવી છે. જેનું ભાડું 177 રૂપિયા હશે. અમદાવાદથી પાવગઢ (માંચી) જતી આવતી બસનું ભાડુ 124 રૂપિયા. આ ઉપરાંત દાંડી જવા માટે ગાંધીનગર શરુ થતી બસનું ભાડુ 182 રૂપિયા અને અમદાવાદથી ધોળાવીરા માટે 209 રૂપિયા ભાડું રહેશે. એસટી નિગમે એક્સપ્રેસ ઉપરાંત લોકલ બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો: ગાંધીનગર મનપા ચૂંટણી: ભાજપે છેલ્લી ઘડીએ અલ્પેશ ઠાકોરને ઉતાર્યા ચૂંટણીના મેદાનમાં, જાણો શું છે તેમની સ્ટ્રેટજી

આ પણ વાંચો: Ahmedadad : રેલવે વિભાગને સ્વચ્છતામાં આગળ લાવવાનો પ્રયાસ, સ્વચ્છતા પખવાડા દિવસની ઉજવણી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">