AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sardardham વિશ્વ પાટીદાર સમાજના ઉપપ્રમુખ પદે આનંદ પટેલની વરણી

મહેસાણાના લોકસભાના સાંસદ શારદાબેન પટેલ અને સ્વ.અનિલ પટેલના પુત્ર આનંદ પટેલની સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજમાં ઉપ પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.

Sardardham વિશ્વ પાટીદાર સમાજના ઉપપ્રમુખ પદે આનંદ પટેલની વરણી
Anand Patel elected Vice President of Sardardham (File Image)
Manish Mistri
| Edited By: | Updated on: Jan 23, 2022 | 5:54 PM
Share

સરદારધામ(Sardardham ) વિશ્વ પાટીદાર સમાજના ઉપપ્રમુખ પદે આનંદ પટેલની(Anand Patel)  વરણી કરવામાં આવી છે. જેમાં આનંદ પટેલ સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટી છે. તેવો મહેસાણાના(Mehsana )  લોકસભાના સાંસદ શારદાબેન પટેલના પુત્ર છે. તેમજ આનંદ પટેલના પિતા સ્વ.અનિલ પટેલએ સરદાર ધામમા સ્થાપના કાળથી યોગદાન આપ્યું હતું. સરદાર ધામમાં આનંદ પટેલની કામગીરી અને ઉત્તર ગુજરાતમાં પ્રભુત્વ ને જોઇને નિર્ણય લેવામાં આવ્યો છે.મહેસાણાના લોકસભાના સાંસદ શારદાબેન પટેલ અને સ્વ.અનિલ પટેલના પુત્ર આનંદ પટેલની સરદાર ધામ વિશ્વ પાટીદાર સમાજમાં ઉપ પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. આનંદ પટેલ એક સફળ બિઝનેસમેન છે અને તેઓ સામાજિક રીતે વિવિધ કામગીરીમાં પણ આગળ છે. તો પાટીદાર સમાજમાં ઉત્તર ગુજરાતમાં પણ તેમનું પ્રભુત્વ છે.

સરદાર ધામ તરફથી આનંદ પટેલની ઉપ પ્રમુખ પદે વરણી કરતા પત્ર મુજબ, સરદાર ધામ ના સ્થાપના કાળથી આનંદ પટેલના પિતા સ્વ.અનિલ પટેલ નુ વિશિષ્ઠ યોગદાન રહેલું છે. અને તેઓનું અવસાન થતા સરદાર ધામના બંધારણ ની જોગવાઈઓ મુજબ આનંદ પટેલને સરદાર ધામમાં વારસદાર ટ્રસ્ટી તરીકે સામેલ કરવામાં આવેલ હતા. આનંદ પટેલના પરિવાર ની સમાજ સેવા પરત્વે વિશેષ યોગદાન રહેલું છે.

સરદાર ધામ ની જુદી જુદી પ્રવૃત્તિઓમાં પણ આનંદ પટેલની કામગીરી જોતા અને ખાસ કરીને આનંદ પટેલ અને તેમના પરિવાર નુ ઉત્તર ગુજરાતમાં વિશેષ પ્રભુત્વ છે. આમ સમગ્ર બાબતોને ધ્યાને રાખી સરદાર ધામમાં આનંદ પટેલને ઉપ પ્રમુખ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. અને આનંદ પટેલ પોતાની ઉપ પ્રમુખ તરીકેની ફરજો અને જવાબદારીઓ યોગ્ય રીતે નિર્વાહન કરે તે માટે શુભકામનાઓ પાઠવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે અમદાવાદમાં નિર્માણ પામી રહેલા સરદાર ધામમાં નવનિર્મિત ઈ-લાયબ્રેરીનું ઉદઘાટન કરાયું છે.. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના હસ્તે ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું છે.. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા.. તેમણે કહ્યું કે- સરદારધામે સમાજ માટે કામ કરવાની એક પદ્ધતિ વિકસાવી છે.. જે દરેક સમાજે શીખ લેવા જેવી બાબત છે.. રોડમેપ તૈયાર કરવો અને સમાજ માટે રોડમેપ પ્રમાણે કામ કરીને બતાવવું આ બંને બાબતોને સરદારધામે એકસાથે આગળ વધારી છે.

આ પણ વાંચો : Ahmedabad: વીમા કંપનીમાં ખોટા બિલ મૂકી 18 લાખનો ક્લેઇમ પાસ કરાવી લીધો

આ  પણ વાંચો : Ahmedabad: સંજીવની રથમાં વિનામુલ્યે સેવા આપી રહ્યાં છે ફાર્મસીના વિદ્યાર્થીઓ, આ સેવાથી આરોગ્ય કર્મીઓનું ભારણ ઓછું થશે

Follow Us
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
કીમમાં ગ્રાહકને સ્માર્ટ મીટર વગર જ મળ્યું ₹4351નું બિલ
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં ઉછળ્યો જંગલેશ્વર ડિમોલિશનનો મુદ્દો-Video
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
રાજ્યની રાજનીતિમાં વધુ ગરમાવો લાવશે ચૈતર વસાવાનો કેસ !
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
કતર ગેસ કંપનીમાં થયેલા વિસ્ફોટમાં દ્વારકાના યુવકનું મોત, પરિવાર ગમગીન
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
જુનાગઢના રસ્તા પર એકસાથે નવ સિંહની લટાર
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ
સરકારી કાર્યક્રમોમાં હાજર ના રહેતા BJPના કોર્પોરેટરો પર આવશે તવાઈ
રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
રાજ્યમાં ખેંચાતા વરસાદની સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે કરી આ મોટી આગાહી
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અસગર અલીને મળશે મુક્તિ? હાઇકોર્ટનો મહત્વનો આદેશ, જુઓ વીડિયો
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં નવા ચેરમેનની નિમણૂક
g clip-path="url(#clip0_868_265)">