ગુજરાતનું એક એવું ગામ જ્યાં લાઈટબીલ આવતું નથી ! PM મોદી માટે આ ગામ કેમ છે ખાસ ?

રાજધાની ગાંધીનગરથી તેનું અંતર લગભગ 100 કિમી છે. પુષ્પાવતી નદીના કિનારે વસેલા આ ગામનો ભૌગોલિક વિસ્તાર લગભગ 2,436 હેક્ટર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ પ્રોજેક્ટ પણ ખૂબ જ ખાસ છે. આ પ્રોજેક્ટ વડાપ્રધાનના આ સંકલ્પને પૂર્ણ કરવાની દિશામાં એક મોટું પગલું છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ વાત કહી હતી.

ગુજરાતનું એક એવું ગામ જ્યાં લાઈટબીલ આવતું નથી ! PM મોદી માટે આ ગામ કેમ છે ખાસ ?
| Updated on: Apr 23, 2024 | 3:16 PM

ગુજરાતનું મોઢેરા સૂર્ય મંદિર માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. ચાલુક્ય વંશના રાજા ભીમ પ્રથમએ 1026-27માં અહીં સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. હવે તે ગામના ખાતામાં વધુ એક મોટી ઉપલબ્ધિનો વધારો થયો છે. હવે મોઢેરા દેશનું પહેલું ગામ બની ગયું છે જે સંપૂર્ણપણે સૌર ઉર્જા પર ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગામમાં 3900 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કર્યો છે. ગાંધીનગરથી 100 કિ.મી દુર આવ્યું છે મોઢેરા મોઢેરા ગામ ગુજરાતના મહેસાણા ગામથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. તે જ સમયે, રાજધાની ગાંધીનગરથી તેનું અંતર લગભગ 100 કિમી છે. પુષ્પાવતી નદીના કિનારે વસેલા આ ગામનો ભૌગોલિક વિસ્તાર લગભગ 2,436 હેક્ટર છે. તે સૌર ઉર્જા પર ચાલતું દેશનું પ્રથમ ગામ બન્યું છે. ગામમાં ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પાવર પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત, લોકોના ધાબા પર 1 કિલોવોટની 1300થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે. તેનાથી આ ઘરોની વીજળીની જરૂરિયાતો પૂરી કરવામાં આવી છે. આ તમામ સોલાર સિસ્ટમ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સાથે જોડાયેલ છે....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો