દાહોદ જિલ્લામાં ઈંડા ખવડાવીને બાળકોને પોષણ? સરકારે કરી આ સ્પષ્ટતા
દાહોદ જિલ્લામાં આંગણવાડીમાં અતિકુપોષિત બાળકોને પોષણ આપવા માટે ઈંડા ખવડાવવામાં આવશે તેવા અહેવાલને દાહોદ જિલ્લા કલેક્ટરે રદીયો આપ્યો છે. ઈંડા ખવડાવવાના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દરમિયાનગીરી કરતા દાહોદ કલેક્ટરને ખુલાસો કરવો પડ્યો હતો. દાહોદ કલેક્ટરે ખુલાસો કર્યો છે કે આવી કોઇ યોજના અમલમાં નથી. આ અંગે વિવિધ મીડિયા અહેવાલને પણ સરકારે નકારી […]
દાહોદ જિલ્લામાં આંગણવાડીમાં અતિકુપોષિત બાળકોને પોષણ આપવા માટે ઈંડા ખવડાવવામાં આવશે તેવા અહેવાલને દાહોદ જિલ્લા કલેક્ટરે રદીયો આપ્યો છે. ઈંડા ખવડાવવાના અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ દરમિયાનગીરી કરતા દાહોદ કલેક્ટરને ખુલાસો કરવો પડ્યો હતો. દાહોદ કલેક્ટરે ખુલાસો કર્યો છે કે આવી કોઇ યોજના અમલમાં નથી. આ અંગે વિવિધ મીડિયા અહેવાલને પણ સરકારે નકારી દીધા છે અને કહ્યું કે આવી કોઈ યોજના અમલમાં નથી કે લાવવાની તૈયારી પણ સરકારે કરી નથી.
આ પણ વાંચો : નિભર્યા કેસ: ફાંસીની નવી તારીખ માટે સુપ્રીમ કોર્ટે આપી લીલીઝંડી
રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન ગણપત વસાવાએ પણ સ્પષ્ટતા કરી છે કે રાજ્યની કોઈ આંગણવાડીમાં અતિ કુપોષિત બાળકોના પોષણ માટે ઈંડા ખોરાક તરીકે આપવાની કોઈ યોજના છે જ નહીં. આવો પાયલોટ પ્રોજેક્ટ કોઈ જિલ્લામાં કરવામાં આવ્યો નથી. ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વમાં અહિંસા અને જીવદયાની કરુણા સંવેદના સાથે કાર્યરત રાજ્ય સરકાર આવી ઈંડા આપવાની કોઈ જ યોજના અમલી બનાવશે નહીં જ એમ મહિલા બાળ કલ્યાણ મંત્રીએ ભારપૂર્વક ઉમેર્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]