AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત, હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં રુ.150નો કરાયો વધારો

આચાર સંહિતા (Code of Conduct) લાગુ થતા પહેલા ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

ચૂંટણીની આચારસંહિતા લાગુ થાય તે પહેલા રાજ્ય સરકારની મોટી જાહેરાત, હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં રુ.150નો કરાયો વધારો
રાજ્ય સરકારની મોટી જાહેરાત
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2022 | 10:38 AM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થતા જ આજે આચારસંહિતા પણ લાગુ થઇ જશે. ત્યારે આચાર સંહિતા લાગુ થતા પહેલા ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. હોમ ગાર્ડને પ્રતિદિન રૂપિયા 300નાં બદલે હવે રુ. 450 મળશે. તો GRD જવાનોને પ્રતિદિન રૂપિયા 200નાં બદલે 300 રુપિયા મળશે. આ વધારો નવેમ્બર મહિનાથી જ લાગુ કરી દેવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ બપોરે 12 કલાકે જાહેર થવાની છે. જે પછી ગુજરાતમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા લાગુ થઇ જશે અને સરકાર દ્વારા કોઇ જાહેરાત કરી શકાશે નહીં. ત્યારે ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડી જવાનોને મનાવવા રાજ્ય સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં 150 રુપિયાનો વધારો કરવામાં આવ્યો છે. હોમ ગાર્ડને પ્રતિદિન રૂપિયા 300નાં બદલે હવે રુ. 450 મળશે. તો GRD જવાનોને પ્રતિદિન રૂપિયા 200નાં બદલે 300 રુપિયા મળશે. આ વધારો નવેમ્બર મહિનાથી જ લાગુ કરી દેવા અંગે પણ જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગર ખાતે હોમગાર્ડનો સેવા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ત્યારે આ સમારોહમાં હોમગાર્ડ અને જીઆરડી જવાનોના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. હોમગાર્ડ અને જીઆરડી જવાનો ઘણા સમયથી તેમના ભથ્થામાં વધારાની માગણી કરી રહ્યા હતા. ત્યારે ચૂંટણી પહેલા ભાજપ સરકાર દ્વારા તેમને રીઝવવા માટે આ મોટી જાહેરાત કરી દેવામાં આવી છે.

Follow Us
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
PSIએ સગા માટે કાયદો નેવે મૂક્યો, અમરેલીના વેપારીને ધમકાવ્યો
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત, જુઓ-Video
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મીનાવાડા દશામાતા મંદિરમાં આશરે 12.50 લાખ સોનાના બે હાર ચોરી થતા ખળભળાટ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
મહીસાગરના 123 કરોડના ‘નલ સે જલ’ કૌભાંડમાં મોટો ખુલાસો, વધુ 2ની ધરપકડ
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
માનસિક તણાવ ટાળો, ઘરેલું જીવન શાંતિપૂર્ણ રહેશે
g clip-path="url(#clip0_868_265)">