રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી, મહિનાના અંતમાં ચોમાસુ વિદાય લેશે તેવી શક્યતા
અતિવૃષ્ટિને કારણે ત્રાહીમામ પોકારી ગયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાતમાં ચોમાસું હવે થોડા દિવસનું મહેમાન છે.હવામાન ખાતાની માહિતી મુજબ ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેવા તરફ આવ્યું છે. જોકે આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. એ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ કોરું રહેશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 28 સપ્ટેમ્બર સુધીમાં […]
અતિવૃષ્ટિને કારણે ત્રાહીમામ પોકારી ગયેલા ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ગુજરાતમાં ચોમાસું હવે થોડા દિવસનું મહેમાન છે.હવામાન ખાતાની માહિતી મુજબ ગુજરાતમાં ચોમાસું હવે વિદાય લેવા તરફ આવ્યું છે. જોકે આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ આવી શકે છે. એ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાતાવરણ કોરું રહેશે. હવામાન ખાતાના જણાવ્યા અનુસાર 28 સપ્ટેમ્બર સુધીમાં રાજસ્થાનમાંથી ચોમાસુ વિદાય લેશે અને ત્યાર બાદ ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. આમ ગુજરાતમાંથી ચોમાસાને વિદાય લેવા માટે હવે ગણતરીના દિવસો જ બાકી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો