યાત્રાધામ અંબાજીમાં શરુ કરાશે લેસર શો, ભક્તો માટે દેવસ્થાનના ઇતિહાસથી પરિચિત થાય તેવો હેતુ, જાણો શું હશે લેસર શોની ખાસિયત

શક્તિપીઠ અંબાજીમાં ભારત તેમજ વિદેશમાં વસતા ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. ત્યારે તેઓ મા અંબાના ઇતિહાસથી પરિચિત થાય તેમજ ઈતિહાસની સાચી સમજ કેળવે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2022 | 7:05 AM

સ્ટેચ્યુ ઓફ યુનિટીની જેમ યાત્રાધામ અંબાજી (Ambaji) માં પણ હવે ભક્તો માટે લેસર શો (laser show) શરૂ કરવામાં આવશે. ગબ્બર ગોખ પર ભક્તો (Devotees) લેસર શોની મદદથી માતાજીના ઈતિહાસને નિહાળી શકશે. શક્તિપીઠ અંબાજીમાં દેશ-વિદેશથી આવતા ભક્તો માતાજીના પ્રાગટ્ય અને અંબાજી દેવસ્થાનના ઇતિહાસથી પરિચિત થાય તે હેતુથી આ લેસર શો શરુ કરવામાં આવશે.

યાત્રાધામ અંબાજીમાં યાત્રાળુઓ માટે એક નવી પહેલ શરુ થવા જઇ રહી છે. અંબાજીમાં હવે લેસર શો થકી યાત્રાળુઓ મા અંબાના મહિમાને વધુ સારી રીતે જાણી શકશે. લેસર શોના માધ્યમથી અંદાજીત 300 લોકો એક સાથે મા અંબાના પ્રાગટ્યથી લઇ 51 શક્તિપીઠના મહત્વના ઇતિહાસ તેમજ તેની સાથે જોડાયેલી બાબતોથી અવગત બનશે. અંબાજી પર્વતનો સ્ટોન સપાટ હોવાથી આ પર્વત પર લેસર કિરણો દ્વારા ભક્તોને મા અંબાના મહિમાને ફિલ્મ સ્વરૂપે રજૂ કરવામાં આવશે.

શક્તિપીઠ અંબાજીમાં ભારત તેમજ વિદેશમાં વસતા ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે. ત્યારે તેઓ મા અંબાના ઇતિહાસથી પરિચિત થાય તેમજ ઈતિહાસની સાચી સમજ કેળવે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે કોરોનાના કેસ ઓછા થતા હવે યાત્રાધામ અંબાજીમાં ભક્તો ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યા વગર પણ માતાજીના દર્શન કરી શકે છે. જો કે કોરોના ગાઇડલાઇનનું પાલન કરવુ ફરજીયાત છે. હવે કોરોનાના કેસ ઘટતા હવે ભક્તો મા અંબેના દર્શન સાથે લેસર શોનો પણ લ્હાવો લઇ શકશે.

આ પણ વાંચો-

Vadodara : પોલીસ કમિશ્નર શમશેરસિંઘનો સપાટો, રાવપુરા પોલીસ સ્ટેશનના 84 પોલીસ કર્મીઓની સાગમટે બદલી

આ પણ વાંચો-

Jamnagar : સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં દિશા સમિતિની બેઠક મળી, કાર્યોની સમીક્ષા કરી

Follow Us:
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
g clip-path="url(#clip0_868_265)">