AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kheda: માતર તાલુકામાં બોગસ ખેડૂતો બની જમીનો ખરીદનારની જમીનો આગામી દિવસોમાં થઈ શકે છે ‘શ્રી સરકાર’

ખોટા દસ્તાવેજોના આધારે બોગસ ખેડૂત (Bogus farmer) ખાતેદાર બની બેસવા મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ગાંધીનગર મહેસુલ વિભાગ (Revenue Department) દ્વારા વર્ષ 2020 અને 2021ના વર્ષમાં થયેલા 300 જેટલા દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે.

Kheda: માતર તાલુકામાં બોગસ ખેડૂતો બની જમીનો ખરીદનારની જમીનો આગામી દિવસોમાં થઈ શકે છે 'શ્રી સરકાર'
Matar Mamlatdar Office (File Image)
Dharmendra Kapasi
| Edited By: | Updated on: May 24, 2022 | 6:48 PM
Share

ખેડાના (Kheda) માતર તાલુકામાં ખેતીલાયક જમીન ખરીદવાના મામલામાં તપાસનો રેલો ગાંધીનગર મહેસુલ વિભાગ (Revenue Department) સુધી લંબાયો છે. માતર અને આસપાસના ગામડાઓમાં કુલ મળીને 500થી વધુ લોકો ખોટા દસ્તાવેજોના (Fake documents) આધારે બોગસ ખેડૂત ખાતેદાર બની બેસવા મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલમાં ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા વર્ષ 2020 અને 2021ના વર્ષમાં થયેલા 300 જેટલા દસ્તાવેજો તપાસવામાં આવી રહ્યા છે. આ આખો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મહેસૂલ વિભાગને એવી જાણ થઈ કે એક જ વિસ્તારમાંથી સામૂહિક ખેડૂતો ખાતેદાર બન્યા છે. મહેસૂલ વિભાગની ટીમે આ વિગતોને આધારે મામલતદાર કચેરીમાં દસ્તાવેજોની ચકાસણી હાથ ધરી હતી.

મહેસુલ વિભાગ ગાંધીનગર અધિકારીની તપાસ

માતર મામલતદાર કચેરીમાં વર્ષ 2020 અને 2021ના વર્ષ દરમિયાન માતર તાલુકાના જુદા જુદા ગામની ખેતીલાયક જમીન ખેડા જિલ્લા બહારના ખેડૂતો દ્વારા ખરીદવામાં આવી હતી, તેની ચોક્કસ માહિતીના આધારે ગત અઠવાડિયે મહેસુલ વિભાગ ગાંધીનગર અધિકારી માતર મામલતદાર કચેરીએ આવી સબ રજીસ્ટ્રાર કચેરીમાંથી 350 કરતા વધારે દસ્તાવેજોની માહિતી અને અન્ય વિગતો લઈ ગયા હતા. જોકે સબ રજીસ્ટ્રાર કચેરીના અધિકારી પોતે બચાવના પ્રયાસ કરતા હોય તેમ અહીં માત્ર દસ્તાવેજ રજીસ્ટર કરવામાં આવતો હોવાનું જણાવ્યું હતું.

બોગસ ખેડૂત સામે કાર્યવાહી થશે

માતર વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેતીલાયક જમીનો જિલ્લા બહારના બોગસ ખેડૂતોને વેચવામાં આવી હોવાની માહિતીના આધારે જ ગાંધીનગર મહેસુલ વિભાગ દ્વારા ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને માતર મામલતદારના જણાવ્યા પ્રમાણે જે પણ એન્ટ્રીમાં ફેરફાર નોંધ કરવામાં આવી હશે, તેની ચકાસણી કરી ખેતીલાયક જમીન ખરીદનાર બિન ખેડૂત હોવાનું માલુમ પડશે તો તેવા બોગસ ખેડૂતો સામે કાયદેસરના પગલાં ભરવામાં આવશે.

આગામી દિવસોમાં બોગસ એન્ટ્રીને રીવ્યુમાં લેવા રિવિઝન માટે જિલ્લા કલેક્ટરને મોકલવામાં આવશે અને જેટલી પણ એન્ટ્રી જિલ્લા કલેક્ટર નામંજુર કરશે તેવા બિન ખેડૂત લોકો સામે કલમ 63ના ભંગ બદલ કલમ 84 મુજબ પગલાં ભરવામાં આવશે. બોગસ ખેડૂતની સાથે સાથે મામલતદાર કચેરી માતરના જે જે અધિકારીઓ અને કર્મચારીઓની સંડોવણી હશે, તેવા કસૂરવાર કર્મચારીઓ સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">