Kheda: ઉઢેલાની ઘટનામાં DGP આશિષ ભાટિયાએ આપ્યા તપાસના આદેશ, તંગદિલીના વાતાવરણમાં શાળાઓ બની સૂની

|

Oct 07, 2022 | 8:31 AM

આઠમા નોરતે બનેલી ઘટના બાદ માતરના ઉંઢેલા અને આસપાસમાં સ્થિતિ ન વણસે તે માટે જિલ્લા પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે. અમદાવાદ રેન્જ આઈજી, ખેડાના એસપી, નડિયાદના DySP,એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વૉડ સહિત સમગ્ર જિલ્લામાંથી પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે.

Kheda: ઉઢેલાની ઘટનામાં  DGP આશિષ ભાટિયાએ આપ્યા તપાસના આદેશ, તંગદિલીના વાતાવરણમાં શાળાઓ બની સૂની
ખેડાના ઉઢેલા ગામમાં આરોપીઓને માર મારવાનો વીડિયો વાયરલ

Follow us on

ખેડા  (Kheda) જિલ્લાના ઉઢેલા ગામમાં આઠમા નોરતે ગરબામાં અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો.  આ ઘટનામાં   પોલીસે આરોપીઓને ઝડપીને માર માર્યો હતો અને ત્યાર બાદ  માફી પણ મંગાવવામાં આવી હતી. આ  સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આકરી પ્રતિક્રિયા જોવા મળી હતી.  આ અંગે પોલીસ મહાનિર્દેશક (Director General of Police ) આશિષ ભાટિયાએ કહ્યું કે અમે વીડિયોમાં દેખાતા પોલીસકર્મીઓની તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે. આ કેસની તપાસ કપડવંજ તાલુકાના નાયબ પોલીસ અધિક્ષક વી.એન.સોલંકીએ હાથ ધરી છે.

પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાએ (DGP Ashish Bhatiya) કહ્યું કે અમે વીડિયોમાં દેખાતા પોલીસકર્મીઓની તપાસના આદેશ આપ્યા છે. તપાસ બાદ જ કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વાયરલ થયેલા વીડિયોમાં, એક પછી એક ઇલેક્ટ્રિક થાંભલા સાથે બાંધીને ઓછામાં ઓછા ચાર લોકોને માર મારનારા લોકોની ઓળખ ખેડા જિલ્લાના લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) યુનિટના પોલીસ કર્મચારી તરીકે થઈ હતી.

આઠમા નોરતે બનેલી ઘટના બાદ માતરના ઉંઢેલા અને આસપાસમાં સ્થિતિ ન વણસે તે માટે જિલ્લા પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે. અમદાવાદ રેન્જ આઈજી, ખેડાના એસપી, નડિયાદના DySP,એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વૉડ સહિત સમગ્ર જિલ્લામાંથી પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. તો વરિષ્ઠ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરીને સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

પથ્થરમારાની ઘટનાથી ગરમાયું  રાજકારણ

કોંગ્રેસી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે સમગ્ર ઘટનાને લઈને ભાજપ (BJP) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું, પોલીસ દ્વારા થતી તટસ્થ કામગીરીમાં કોઈપણ પ્રકારનો રાજકીય હસ્તક્ષેપ થવો જોઈએ નહીં. ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા (Imran Khedawala) અને મહંમદ પીરઝાદાએ ઘટનાને વખોડી છે. અને ત્રણેય ધારાસભ્યોએ પોલીસ વિરૂદ્ધ પગલા લેવા કરી માગ છે. રાજ્ય પોલીસવડાને પત્ર લખી પોલીસ અધિકારીઓને (kheda police) તાત્કાલિક સસ્પેન્ડ કરવાની  માંઘણી કરી હતી.

ઉઢેલ ગામમાં તંગદિલી બાદ શાળામાં વિદ્યાર્થીઓ ગેરહાજર

છેલ્લા થોડા દિવસથી ખેડા જિલ્લાના વાતાવરણમાં તંગદિલી સર્જાઈ છે. ખેડાના માતર તાલુકાના ઉંઢેલા ગામમાં અસામાજીક ત્તત્વોના આતંકથી શિક્ષણને અસર થઈ છે. ઊંઢેલા ગામની પ્રાથમિક શાળામાં તમામ વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા શાળા સુની બની છે. હાલ જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકો સાથે સંપર્ક સાધીને વિદ્યાર્થીઓના વાલીને સમજાવવા પ્રયાસ હાથ ધર્યા છે. ગામના સરપંચ સહિતના અગ્રણીઓને સાથે રાખી વાલીઓનો ડર દુર કરાશે. આ શાળામાં 465 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે બાળકોનું શિક્ષણ બગડે નહીં તે હેતુથી સમજાવટના પ્રયાસો હાથ ધરાયા છે. સમગ્ર બનાવની વાત કરીએ તો આઠમા નોરતે ગરબા દરમિયાન અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. અને આ ઘટનાના ત્રણ દિવસ પછી પણ ગામમાં સન્નાટાનો માહોલ જોવા મળે છે. જોકે કાયદો અને વ્યવસ્થા ફરી સુનિશ્ચિત કરવા પોલીસે પણ કમરકસી છે. અને સમગ્ર ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે

Next Article