અમદાવાદ(Ahmedabad) મ્યુનિસિપલ કોર્પોરેશનની રિક્રિએશન કમિટીની(Recreation Committee) મિટીંગ યોજાઇ હતી. જેમાં કાંકરિયા કાર્નિવલને(Kankaria Carnival) લઇને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. કોરોનાના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના સંકટ વચ્ચે આ વર્ષે કાંકરિયા કાર્નિવલ નહી યોજાય. ઓમિક્રોનના સંકટ વચ્ચે અમદાવાદ મહાનગર પાલિકાએ કાંકરિયા કાર્નિવલને રદ કર્યો છે.
દર વર્ષે 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર વચ્ચે કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોનાના નવા વેરિઅન્ટના સંકટને ધ્યાનમાં રાખીને રદ કરવાનો નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે 7 દિવસ સુધી ચાલતા કાર્નિવલમાં અંદાજે લાખો લોકો મુલાકાત લેતા હોય છે.
આ પણ વાંચો : RAJKOT : વરસાદની આગાહીને પગલે ઉપલેટા માર્કેટ યાર્ડમાં હરાજી બંધ કરવામાં આવી
આ પણ વાંચો : ગીર સોમનાથમાં કમોસમી વરસાદથી ખેડૂતોની સ્થિતિ કફોડી, પાકને નુકશાન થવાની ભીતિ
Published On - 7:26 pm, Wed, 1 December 21