KUTCH : હમિરસર તળાવમાં ગટરના ગંદા પાણી ભળ્યા, પાલિકાની નિષ્કાળજી મામલે સ્થાનિકોમાં રોષ

હમિરસર તળાવમાં પણ વરસાદી પાણીની આવક સહિત ગટરના પાણી આવતા લોકોમાં રોષ છે. તાજેતરમાંજ પણ વરસાદની આવ સાથે ગટરનું પાણી હમિરસર તળાવમાં આવ્યુ હતુ.

KUTCH : હમિરસર તળાવમાં ગટરના ગંદા પાણી ભળ્યા, પાલિકાની નિષ્કાળજી મામલે સ્થાનિકોમાં રોષ
KUTCH: Sewage effluent found in Hamirsar lake, locals angry over municipal negligence
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 7:15 PM

ભુજના દેસલસર તળાવની જેમ હવે હમિરસર તળાવમાં પણ ગટરના ગંદા પાણી આવી રહ્યુ છે. પાલિકાએ તાત્કાલીક માનવસર્જીત ભુલ માટે 8 લોકોની બદલી કરી નાંખી છે. પરંતુ 3 વર્ષમાં અનેકવાર ગટરના ગંદા પાણી તળાવમા આવતા લોકોમાં રોષ છે. અને કાયમી ઉકેલની માંગ કરી રહ્યા છે.

ભુજના બે તળાવોનુ વર્ષો પહેલા ખુબ મહત્વ હતુ. જોકે સમયાંતરે દેસલસર તળાવમાં ગટરના પાણી ભળતા જળકુંભી ઉગી નિકળી છે. જે સમસ્યાનો ઉકેલ હજી વર્ષો પછી પણ આવી શક્યો નથી. ત્યાં હવે હમિરસર તળાવમાં પણ વરસાદી પાણીની આવક સહિત ગટરના પાણી આવતા લોકોમાં રોષ છે. તાજેતરમાંજ પણ વરસાદની આવ સાથે ગટરનું પાણી હમિરસર તળાવમાં આવ્યુ હતુ. જોકે ગટર નિયોજન વિભાગ સહિત જે લોકોની આ ભુલ હતી તેની સામે પાલિકાએ કાર્યાવાહી કરી છે. અને સાથે લોકોની લાગણી સાથે જોડાયેલ તળાવમાં ભવિષ્યમાં ગટરના પાણી નહી ભળે તે માટેનો દોવો કર્યો છે.

જોકે પાલિકાએ દાવો કર્યો છે પરંતુ 3 વર્ષમાં અનેકવાર એવુ થયુ કે હમિરસર તળાવમાં ગટરના પાણી આવ્યા ભુજના આ તળાવનુ શહેરીજનો માટે અનેરૂ મહત્વ છે. અને તેથીજ પાણી આવતા અનેક લોકો નિહાળવા માટે તળાવ કિનારે આવે છે. તો કચ્છ બહાર વસ્તા લોકો પણ હમિરસર તળાવ ભરાવાની રાહ જોતા હોય છે. ત્યારે તળાવના ઐતિહાસીક મહત્વને ધ્યાને રાખી ગટરના પાણી ન ભળવા સાથે તેની યોગ્ય જાળવણીની માંગ સાથે શહેરીજનો દેસલસર તળાવ જેવી સ્થિતી હમિરસરની ન થાય તેવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

400થી વધુ વર્ષ પહેલા આ તળાવની સ્થાપના કરાઇ હતી. અને તળાવ ધાર્મીક આસ્થા તથા લાગણી સાથે શહેરીજનોના જોડાયેલુ છે. ત્યારે દેસલસર તળાવની જેમ હમિરસરમાં પણ ગટરના પાણીથી તળાવની શોભા ન જોખમાય તેવી ચિંતા શહેરીજનોમાં છે. પાલિકાએ કાર્યવાહી કરી પરંતુ માનવસર્જીત સમસ્યાથી 3 વર્ષમાં અનેકવાર ગટરના પાણી તળાવમાં આવ્યા તે વાસ્તવિક્તા છે.

આ પણ વાંચો : શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય, આ વર્ષે આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે પીએચડી ફરજિયાત નથી, જાણો સમગ્ર વિગત

આ પણ વાંચો : એર માર્શલ વિક્રમ સિંહને વેસ્ટર્ન એર કમાન્ડના વરિષ્ઠ એર સ્ટાફ ઓફિસર તરીકે નિયુક્તિ, એર માર્શલ ઘોટીયાએ SWACKનો હવાલો સંભાળ્યો

Latest News Updates

રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">