AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય, આ વર્ષે આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે પીએચડી ફરજિયાત નથી, જાણો સમગ્ર વિગત

Assistant Professor Job 2021: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા યુનિવર્સિટીમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

શિક્ષણ મંત્રીનો મોટો નિર્ણય, આ વર્ષે આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે પીએચડી ફરજિયાત નથી, જાણો સમગ્ર વિગત
Union Education Minister Dharmendra Pradhan (File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 7:04 PM
Share

Assistant Professor Job 2021: કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા યુનિવર્સિટીમાં નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મદદનીશ પ્રોફેસરની પોસ્ટ પર નોકરી શોધી રહેલા યુવાનોને મોટી રાહત આપી છે. શિક્ષણ મંત્રીએ આસિસ્ટન્ટ પ્રોફેસરની (Assistant Professor Job 2021) પોસ્ટ માટે પીએચડીની જરૂરિયાત નાબૂદ કરી છે, એટલે કે હવે પીએચડી વગરના વિદ્યાર્થીઓ પણ આસિસ્ટન્ટ પ્રોફેસરની પોસ્ટ માટે નોકરી મેળવી શકશે.

કોરોના વાયરસના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન (Education Minister Dharmendra Pradhan) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ માટે પીએચડી ફરજિયાત હોવાથી ઘણા ઉમેદવારો હતાશ થઈ જતા હતા. શિક્ષણ મંત્રીએ કહ્યું કે, યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર ભરતી માટે (Assistant Professor Job 2021) પીએચડીની જરૂરિયાત નાબૂદ કરવામાં આવશે, હવે પીએચડી વગરના વિદ્યાર્થીઓ પણ આ પોસ્ટ માટે અરજી કરવા પાત્ર બનશે.

કોરોના વાયરસને કારણે લેવાયો નિર્ણય

શિક્ષણ મંત્રીએ કહ્યું કે, પીએચડીની જરૂરિયાતમાંથી રાહત એટલા માટે આપવામાં આવી છે કારણ કે કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી સ્કોલર્સોની પીએચડી પૂર્ણ થઈ નથી. તેમણે કહ્યું કે, અગાઉ દેશની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરના પદ પર ભરતી માટે પીએચડી ફરજિયાત કરવામાં આવી હતી. પરંતુ હવે આ માપદંડ દૂર કરવામાં આવ્યો છે. જેથી ખાલી જગ્યાઓ સમયસર ભરી શકાય અને અધ્યાપકો/અધ્યાપકોની અછતને કારણે અભ્યાસને અસર ન થાય.

UGC NET પાસ કરેલ હોવું જોઈએ

આપને જણાવી દઈએ કે, અગાઉ કોલેજો અને યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યાઓ માટે ભરતી માટે UGC NET પરીક્ષા પાસ કરવી જરૂરી હતી. પરંતુ 2018 માં સરકારે કહ્યું કે, આ પદ માટે પીએચડી ફરજિયાત રહેશે. આ પછી સરકારે ઉમેદવારોને તેમની પીએચડી પૂર્ણ કરવા માટે ત્રણ વર્ષનો સમય આપ્યો.

હવે PGની ડિગ્રી ધરાવતા ઉમેદવારો, જેમણે રાષ્ટ્રીય પાત્રતા કસોટી પાસ કરી છે તેઓ સહાયક પ્રોફેસરના પદ પર ભરતી માટે પાત્ર બનશે. યુજીસી ટૂંક સમયમાં તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આ નિર્ણય અંગે પરિપત્ર બહાર પાડશે. આ કોલેજો અને યુનિવર્સિટીઓને તમામ ખાલી બેઠકો ઝડપથી ભરવામાં મદદ કરશે.

આ પણ વાંચો: Mahatma Gandhi Jayanti: મહાત્મા ગાંધીની જન્મજયંતિ પર, પીએમ મોદીએ શ્રદ્ધાંજલિ આપી, કહ્યું- બાપુનું જીવન દરેક પેઢીને પ્રેરણા આપતું રહેશે

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">