Kutch: છેવાડાના નરા ગામે 2 મહિનાથી વીજ સમસ્યાથી ખેડૂતો પરેશાન, 7 મુદ્દાને લઇ ઉકેલ માટે રજુઆત

સરકારની ખેડૂતોને પુરતી વીજળી આપવાની યોજના વચ્ચે કચ્છના બોર્ડર નજીકના નરા ગામે ખેડૂતો અનિયમીત વીજળી મળવાથી મુશ્કેલીમાં છે, અનેક વખત મૌખિક રજુઆતો પછી પણ ઉકેલ ન આવતાં ખેડૂતોએ આ મુદ્દે રવાપર PGVCL કચેરીએ આવેદન આપી રોષ પ્રગટ કર્યો છે

Kutch: છેવાડાના નરા ગામે 2 મહિનાથી વીજ સમસ્યાથી ખેડૂતો પરેશાન, 7 મુદ્દાને લઇ ઉકેલ માટે રજુઆત
ખેડૂતોએ રવાપર PGVCL કચેરીએ આવેદન આપી રોષ પ્રગટ કર્યો
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Feb 02, 2022 | 6:24 PM

સરકારની ખેડૂતો (Farmers)ને પુરતી વીજળી (Electricity) આપવાની યોજના વચ્ચે કચ્છના છેવાડાના નરા ગામે (Nara village) ખેડૂતો અનિયમીત વીજળી મળવાથી મુશ્કેલીમાં છે. સમસ્યા છેલ્લા બે મહિનાથી છે. પરંતુ મૌખિક અનેક રજુઆતો પછી ખેડૂતોએ આ મુદ્દે રવાપર સ્થિત PGVCL કચેરીએ આવેદન આપી પોતાનો રોષ પ્રગટ કર્યો છે.

નિયમીત અને યોગ્ય વિજ પુરવઠો ન મળતા અથવા સમસ્યા સર્જાતા નરા વિસ્તારમાં ઘણા ખેડૂતોની મોટરો બળી જવાની પણ ઘટનાઓ બની છે. આ તમામ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે ખેડૂતોએ માંગ કરી છે. ખેડૂત આગેવાન બંતાસિંહે જણાવ્યુ હતું કે વોલ્ટેજનો પ્રશ્ર્ન નહી ઉકેલાય તો ઘણા ખેડૂતોને નુકસાન જશે.

આ અંગે રવાપર PGVCL કેચરીના જુનીયર ઇન્જીનિયર એસ.એચ.સેંધાણી સાથે વાત કરતા તેઓએ બે દિવસ પહેલા જ મુદ્દો ધ્યાનમાં આવ્યુ હોવાનું જણાવી લાઇન લાંબી હોવાથી સમસ્યા સર્જાય છે તેવો સ્વીકાર કર્યો હતો અને આ માટે ટીમ મોકલી હોવાનું જણાવી આ વિસ્તારમાં હાલમાં જ સબ સ્ટેશન બન્યુ હોવાથી ટુંક સમયમાં ખેડૂતોની સમસ્યાના ઉકેલ માટેની ખાતરી આપી હતી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

કચ્છના બોર્ડર વિસ્તારમાં આવેલા ગામ નરામાં ખેડૂતોએ મહેનત કરી ખેતીને જીવંત રાખી છે. પરંતુ યોગ્ય રીતે વીજળી ન મળતા હવે ખેડૂતો પરેશાન બન્યા છે ત્યારે તેમની સમસ્યા ઝડપથી ઉકેલાય તેવી માંગ છે.

ખેડૂતોએ કરેલી રજુઆતો

નરા ગામના ખેડૂતોને વીજળી પુરા પાડતા PGVCLના સરદાર ફીડરમાંથી 100થી વધુ ખેડુતોના ખેતરમાં વીજળી જાય છે. ખેડૂતોએ રજૂઆત કરી હતી કે છેલ્લા ઘણા સમયથી ઓછા વોલ્ટેજથી વીજળી મળી રહી છે. વાંરવાર વીજળી આવજા કરે છે. 8 કલાકને બદલે માત્ર 6 કલાક મળે છે. લાઇટની સમસ્યા અંગે પૂછપરછ પછી કર્મચારીઓ તરફથી યોગ્ય જવાબ મળતો નથી અને ફોન બંધ કરી દેવાય છે. નરા ફીડરમાંથી અન્ય જગ્યાએ પણ વીજળી જતી હોવાથી પુરતી વીજળીનો જથ્થો નરાના ખેડુતોને મળતો નથી. યોગ્ય રીતે લાઇનના મેન્ટન્સનું કામ થતું નથી અને લાઇનમાં ફોલ્ટ સર્જાયા બાદ 2 દિવસ બાદ PGVCL દ્વારા કામ શરૂ કરાય છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, રાજ્યના વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં 1લી જાન્યુઆરી 2022થી વધારો

આ પણ વાચોઃ નવી રામસર સાઇટનો દરજજો પ્રાપ્ત કરતું જામનગર જિલ્લાનું ખીજડિયા વન્યજીવ અભયારણ્ય 

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">