AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: છેવાડાના નરા ગામે 2 મહિનાથી વીજ સમસ્યાથી ખેડૂતો પરેશાન, 7 મુદ્દાને લઇ ઉકેલ માટે રજુઆત

સરકારની ખેડૂતોને પુરતી વીજળી આપવાની યોજના વચ્ચે કચ્છના બોર્ડર નજીકના નરા ગામે ખેડૂતો અનિયમીત વીજળી મળવાથી મુશ્કેલીમાં છે, અનેક વખત મૌખિક રજુઆતો પછી પણ ઉકેલ ન આવતાં ખેડૂતોએ આ મુદ્દે રવાપર PGVCL કચેરીએ આવેદન આપી રોષ પ્રગટ કર્યો છે

Kutch: છેવાડાના નરા ગામે 2 મહિનાથી વીજ સમસ્યાથી ખેડૂતો પરેશાન, 7 મુદ્દાને લઇ ઉકેલ માટે રજુઆત
ખેડૂતોએ રવાપર PGVCL કચેરીએ આવેદન આપી રોષ પ્રગટ કર્યો
Jay Dave
| Edited By: | Updated on: Feb 02, 2022 | 6:24 PM
Share

સરકારની ખેડૂતો (Farmers)ને પુરતી વીજળી (Electricity) આપવાની યોજના વચ્ચે કચ્છના છેવાડાના નરા ગામે (Nara village) ખેડૂતો અનિયમીત વીજળી મળવાથી મુશ્કેલીમાં છે. સમસ્યા છેલ્લા બે મહિનાથી છે. પરંતુ મૌખિક અનેક રજુઆતો પછી ખેડૂતોએ આ મુદ્દે રવાપર સ્થિત PGVCL કચેરીએ આવેદન આપી પોતાનો રોષ પ્રગટ કર્યો છે.

નિયમીત અને યોગ્ય વિજ પુરવઠો ન મળતા અથવા સમસ્યા સર્જાતા નરા વિસ્તારમાં ઘણા ખેડૂતોની મોટરો બળી જવાની પણ ઘટનાઓ બની છે. આ તમામ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ આવે તે માટે ખેડૂતોએ માંગ કરી છે. ખેડૂત આગેવાન બંતાસિંહે જણાવ્યુ હતું કે વોલ્ટેજનો પ્રશ્ર્ન નહી ઉકેલાય તો ઘણા ખેડૂતોને નુકસાન જશે.

આ અંગે રવાપર PGVCL કેચરીના જુનીયર ઇન્જીનિયર એસ.એચ.સેંધાણી સાથે વાત કરતા તેઓએ બે દિવસ પહેલા જ મુદ્દો ધ્યાનમાં આવ્યુ હોવાનું જણાવી લાઇન લાંબી હોવાથી સમસ્યા સર્જાય છે તેવો સ્વીકાર કર્યો હતો અને આ માટે ટીમ મોકલી હોવાનું જણાવી આ વિસ્તારમાં હાલમાં જ સબ સ્ટેશન બન્યુ હોવાથી ટુંક સમયમાં ખેડૂતોની સમસ્યાના ઉકેલ માટેની ખાતરી આપી હતી.

કચ્છના બોર્ડર વિસ્તારમાં આવેલા ગામ નરામાં ખેડૂતોએ મહેનત કરી ખેતીને જીવંત રાખી છે. પરંતુ યોગ્ય રીતે વીજળી ન મળતા હવે ખેડૂતો પરેશાન બન્યા છે ત્યારે તેમની સમસ્યા ઝડપથી ઉકેલાય તેવી માંગ છે.

ખેડૂતોએ કરેલી રજુઆતો

નરા ગામના ખેડૂતોને વીજળી પુરા પાડતા PGVCLના સરદાર ફીડરમાંથી 100થી વધુ ખેડુતોના ખેતરમાં વીજળી જાય છે. ખેડૂતોએ રજૂઆત કરી હતી કે છેલ્લા ઘણા સમયથી ઓછા વોલ્ટેજથી વીજળી મળી રહી છે. વાંરવાર વીજળી આવજા કરે છે. 8 કલાકને બદલે માત્ર 6 કલાક મળે છે. લાઇટની સમસ્યા અંગે પૂછપરછ પછી કર્મચારીઓ તરફથી યોગ્ય જવાબ મળતો નથી અને ફોન બંધ કરી દેવાય છે. નરા ફીડરમાંથી અન્ય જગ્યાએ પણ વીજળી જતી હોવાથી પુરતી વીજળીનો જથ્થો નરાના ખેડુતોને મળતો નથી. યોગ્ય રીતે લાઇનના મેન્ટન્સનું કામ થતું નથી અને લાઇનમાં ફોલ્ટ સર્જાયા બાદ 2 દિવસ બાદ PGVCL દ્વારા કામ શરૂ કરાય છે.

આ પણ વાંચોઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, રાજ્યના વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં 1લી જાન્યુઆરી 2022થી વધારો

આ પણ વાચોઃ નવી રામસર સાઇટનો દરજજો પ્રાપ્ત કરતું જામનગર જિલ્લાનું ખીજડિયા વન્યજીવ અભયારણ્ય 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">