Kutch: ગુજરાતમાં સિઝનનું સૌથી વધુ 42.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું, બપોરે 12 થી 4 સુધી લોકોને બિનજરૂરી બહાર નહિ નીકળવા હવામાન વિભાગની અપીલ

હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તાર માટે હિટવેવ બાદ એક દિવસ બાદ તાપમાન સામાન્ય હળવું થશે પણ ફરી તાપમાનમાં વધારો થશે અને પારો 42 ડિગ્રી કે તેથી ઉપર જઈ શકે છે.

Kutch: ગુજરાતમાં સિઝનનું સૌથી વધુ 42.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું, બપોરે 12 થી 4 સુધી લોકોને બિનજરૂરી બહાર નહિ નીકળવા હવામાન વિભાગની અપીલ
meteorological department appealed to people not to go out unnecessarily from 12 noon to 4 pm
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Mar 29, 2022 | 7:42 PM

ઉનાળાની કાળઝાળ ગરમી હવે જાણે વર્તાવવા લાગી છે. કેમ કે ગુજરાતમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેમાં ગત રોજ ગુજરાતમાં સિઝનનું સૌથી વધુ તાપમાન (temperature) કચ્છ (Kutch) માં નલિયામાં 42.6 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં પણ સિઝનનું સૌથી વધુ 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. જેણે ગુજરાતવાસીઓ માટે ચિંતા વધારી છે. તાપમાન હજુ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલું જ નહીં પણ હવામાન વિભાગ દ્વારા આજે નવી આગાહી કરવામાં આવી છે. જેમાં આજે એક દિવસ માટે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માં હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ (meteorological department)  દ્વારા સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છના કેટલાક વિસ્તાર માટે હિટવેવની આગાહી કરી છે. તો રાજકોટ અને પોરબંદર માટે પણ હિટવેવની આગાહી કરાઈ છે.

સાથે એક દિવસ બાદ તાપમાન સામાન્ય હળવું થશે પણ ફરી તાપમાનમાં વધારો થશે અને પારો 42 કે તેથી ઉપર જઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જે આગાહી પવનની દિશા બદલવાના કારણે ગરમીના પારામાં વધારો થતો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. આગાહીને પગલે હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર નહિ નીકળવા અપીલ કરી છે. જેથી વધુ ગરમીના કારણે લોકોને ડિહાઇડ્રેશનની કે અન્ય કોઈ અસર ન થાય.

મહત્વનું છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળી દહન સમયે જ્વાળાઓની દીશા પ્રમાણે આ વર્ષે વધુ ગરમી પડવા અને પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી આગાહી કરી હતી. જે આગાહી પ્રમાણે હાલ સુધી 42.6 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું છે. તો હજુ પણ તાપમાનમાં વધારો થવાની આગાહી હવામન વિભાગ કરી રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

ગરમીથી બચવા લોકો ઠંડા પીણા તરફ વળ્યા

ઉલ્લેખનીય છે કે ગરમી પડે એટલે લોકો તેનાથી બચવા માટે ઠંડા પીણા. એસી સહિત ઠંડક રાખતી વસ્તુઓ નો સહારો લે. ચાલુ વર્ષે ગરમીએ હજુ દેખાડો દીધો છે ત્યાં જ લોકોએ ઠંડા પીણા પીવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે ઠંડા પીણાની લારી. દુકાન. બરફ ગોળા લારી. દુકાન પર લોકોની ભીડ દેખાવા લાગી છે. ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કર ગરમી કોપાયમાન ન થાય અને લોકોને રાહત મળે.

આ પણ વાંચોઃ Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું

આ પણ વાંચોઃ Surendranagar: ચોટીલાના પીપરાળી ગામે સીમંત પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 120 લોકોને તાત્કાલિક સારવાર અપાઇ

Latest News Updates

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
g clip-path="url(#clip0_868_265)">