AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch: ગુજરાતમાં સિઝનનું સૌથી વધુ 42.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું, બપોરે 12 થી 4 સુધી લોકોને બિનજરૂરી બહાર નહિ નીકળવા હવામાન વિભાગની અપીલ

હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તાર માટે હિટવેવ બાદ એક દિવસ બાદ તાપમાન સામાન્ય હળવું થશે પણ ફરી તાપમાનમાં વધારો થશે અને પારો 42 ડિગ્રી કે તેથી ઉપર જઈ શકે છે.

Kutch: ગુજરાતમાં સિઝનનું સૌથી વધુ 42.6 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું, બપોરે 12 થી 4 સુધી લોકોને બિનજરૂરી બહાર નહિ નીકળવા હવામાન વિભાગની અપીલ
meteorological department appealed to people not to go out unnecessarily from 12 noon to 4 pm
Darshal Raval
| Edited By: | Updated on: Mar 29, 2022 | 7:42 PM
Share

ઉનાળાની કાળઝાળ ગરમી હવે જાણે વર્તાવવા લાગી છે. કેમ કે ગુજરાતમાં ગરમીનો પારો દિવસે ને દિવસે વધી રહ્યો છે. જેમાં ગત રોજ ગુજરાતમાં સિઝનનું સૌથી વધુ તાપમાન (temperature) કચ્છ (Kutch) માં નલિયામાં 42.6 ડિગ્રી નોંધાયું છે. તો અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં પણ સિઝનનું સૌથી વધુ 41 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. જેણે ગુજરાતવાસીઓ માટે ચિંતા વધારી છે. તાપમાન હજુ વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલું જ નહીં પણ હવામાન વિભાગ દ્વારા આજે નવી આગાહી કરવામાં આવી છે. જેમાં આજે એક દિવસ માટે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ માં હિટવેવની આગાહી કરી છે. હવામાન વિભાગ (meteorological department)  દ્વારા સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છના કેટલાક વિસ્તાર માટે હિટવેવની આગાહી કરી છે. તો રાજકોટ અને પોરબંદર માટે પણ હિટવેવની આગાહી કરાઈ છે.

સાથે એક દિવસ બાદ તાપમાન સામાન્ય હળવું થશે પણ ફરી તાપમાનમાં વધારો થશે અને પારો 42 કે તેથી ઉપર જઈ શકે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. જે આગાહી પવનની દિશા બદલવાના કારણે ગરમીના પારામાં વધારો થતો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું. આગાહીને પગલે હવામાન વિભાગે લોકોને બપોરે 12 થી 4 વાગ્યા સુધી બિનજરૂરી બહાર નહિ નીકળવા અપીલ કરી છે. જેથી વધુ ગરમીના કારણે લોકોને ડિહાઇડ્રેશનની કે અન્ય કોઈ અસર ન થાય.

મહત્વનું છે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હોળી દહન સમયે જ્વાળાઓની દીશા પ્રમાણે આ વર્ષે વધુ ગરમી પડવા અને પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી આગાહી કરી હતી. જે આગાહી પ્રમાણે હાલ સુધી 42.6 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું છે. તો હજુ પણ તાપમાનમાં વધારો થવાની આગાહી હવામન વિભાગ કરી રહ્યું છે.

ગરમીથી બચવા લોકો ઠંડા પીણા તરફ વળ્યા

ઉલ્લેખનીય છે કે ગરમી પડે એટલે લોકો તેનાથી બચવા માટે ઠંડા પીણા. એસી સહિત ઠંડક રાખતી વસ્તુઓ નો સહારો લે. ચાલુ વર્ષે ગરમીએ હજુ દેખાડો દીધો છે ત્યાં જ લોકોએ ઠંડા પીણા પીવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે ઠંડા પીણાની લારી. દુકાન. બરફ ગોળા લારી. દુકાન પર લોકોની ભીડ દેખાવા લાગી છે. ત્યારે લોકો પણ ઈચ્છી રહ્યા છે કર ગરમી કોપાયમાન ન થાય અને લોકોને રાહત મળે.

આ પણ વાંચોઃ Bank Strike : બેંક કર્મચારીઓ આજથી બે દિવસ હડતાળ ઉપર ઉતરશે, જાણો કેમ ભરાયું પગલું

આ પણ વાંચોઃ Surendranagar: ચોટીલાના પીપરાળી ગામે સીમંત પ્રસંગના જમણવાર બાદ ફૂડ પોઇઝનિંગ, 120 લોકોને તાત્કાલિક સારવાર અપાઇ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">