બે દિવસ કચ્છની(Kutch) મુલાકાતે આવેલા AIMIM પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ નૂપુર શર્માના નિવેદનનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે ભુજમાં વિશાળ જનસભા સંબોધતા સવાલ ઉઠાવ્યો કે પયગંબર મોહમ્મદ (prophet muhammad) વિશે ટિપ્પણી કરનાર નૂપુર શર્મા સામે કાર્યવાહી કેમ નથી કરાતી ? સાથે જ તેમણે ઉત્તરપ્રદેશ સરકારની બુલડોઝર ફેરવવાની કાર્યવાહી સામે રોષ વ્યક્ત કર્યો. ઓવૈસીએ કહ્યું કે ઉત્તરપ્રદેશમાં નૂપુર શર્માના (Nupur Sharma) વિવાદિત નિવેદન બાદ હિંસક પ્રદર્શનો થયા હતા.જેમાં સીએમ યોગી આદિત્યનાથે (CM Yogi adityanth) લોકોના ઘર ઉપર બુલડોઝર ફેરવી દીધા.
જો આવું કરવું હોય તો અદાલતની શું જરૂર ? અદાલતને તાળા મારી દો.વધુમાં ઓવૈસીએ યોગી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે CM યોગીએ બંધારણ ઉપર બુલડોઝર ફેરવી દીધુ છે.નૂપુર શર્મા દ્વારા કરાયેલા પયગંબર મહોમ્મદ અંગેનાં નિવેદન (Prophet Controversy) મામલે રાજકોટ, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ અગ્રણીઓએ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો. જોકે કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ (police officers) ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રાજકોટના (Rajkot) રૈયા રોડ પર આવેલા આઝાદ ચોક પાસે નૂપૂર શર્માની ધરપકડની માગ કરતા પોસ્ટર(Poster) મોટી સંખ્યામાં લાગ્યા હતા. જેની જાણકારી મળતા જ પોલીસે પોસ્ટર દૂર કર્યા. અને સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો. બીજી તરફ બનાસકાંઠાના પાલનપુરના નૂપુર શર્મા સામે અભદ્ર ટિપ્પણી કરનારા ઈરફાન શેખને ખાનગી હોસ્પિટલના તંત્રએ નોકરીમાંથી હાંકી કાઢ્યો છે. સુરતમાં નૂપુર શર્માના નામે હિંસા ફેલાવવાનો પ્રયાસ કરતા અઠવાના ત્રણ શખ્સોની અટકાયત કરવામાં આવી.
સાબરકાંઠાના હિંમતનગરમાં પયગંબર વિશે અભદ્ર ટિપ્પણી કરનારા સામે ફરિયાદ નોંધી પોલીસે આરોપીને ઝડપવા તપાસ હાથ ધરી છે. અમદાવાદમાં પણ ફેસબુક પ્રોફાઈલમાં નમાઝ પછી રોડ પર ઉતરવાની ભડકાઉ પોસ્ટ કરનારા સામે સાયબર ક્રાઈમ બ્રાંચે(Crime Branch) ગુનો નોંધ્યો છે.