AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચ્છમાં આહીર સમાજમાં લગ્નની અનોખી પરંપરા, એક જ દિવસમાં 1080 વર-કન્યાના લગ્ન થયા

આજે 13 ડિસેમ્બરે કચ્છના અલગ-અલગ ગામોમાં કુલ 540 લગ્ન યોજાયા હતા. જેમાં  1080 વર-કન્યાએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.આહિર સમાજમાં એકજ દિવસે લગ્ન લેવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

કચ્છમાં આહીર સમાજમાં લગ્નની અનોખી પરંપરા, એક જ દિવસમાં 1080 વર-કન્યાના લગ્ન થયા
Samuh Lagna Mahostav of Ahir Samaj in Kutchh
Jay Dave
| Edited By: | Updated on: Dec 13, 2021 | 6:53 PM
Share

KUTCH : કચ્છમાં આહિર સમાજમાં લગ્નની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જે રીતે કચ્છના પ્રાથળીયા આહિર સમાજમાં અંધારી તેરશના એકજ દિવસે લગ્ન યોજાય છે તે રીતે મચ્છોયા આહીર સમાજ પણ વર્ષોથી અનોખી રીતે લગ્ન યોજવાની પરંપરા છે, જે અન્ય સમાજને પ્રેરણા આપે છે.

કચ્છમાં મચ્છોયા આહિર સમાજની વસ્તી ધરાવતા કુલ 64 ગામો છે, જ્યા એકજ દિવસે સમાજના લગ્ન લેવાય છે અને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવે છે, જેથી સમાજનો ખર્ચે બચે. આમતો વર્ષોથી લગ્ન એકજ દિવસે યોજવાની પરંપરા આ સમાજમાં વર્ષોથી છે. પરંતુ છેલ્લા 23 વર્ષથી સમાજે સમૂહ લગ્ન અને ભોજન કરવાનું નક્કી કર્યુ હતુ જે આજે પણ સમાજના દરેક લોકો સાથે મળી જાળવી રહ્યા છે.

આજે 13 ડિસેમ્બરે કચ્છના અલગ-અલગ ગામોમાં કુલ 540 લગ્ન યોજાયા હતા. જેમાં  1080 વર-કન્યાએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા.આહિર સમાજમાં એકજ દિવસે લગ્ન લેવાની આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. જો કે એકજ દિવસે અલગ-અલગ લગ્ન આયોજીત થતા હોવાથી સમાજના લોકોનો ખર્ચે પણ વધતો હતો અને સમય પણ તેવામાં સમાજે સાથે મળી સમૂહ લગ્નનુ નક્કી કર્યુ હતુ.

લાભપાંચમના દિવસે સમાજ દ્વારા લગ્ન માટે શુભમુહર્ત નક્કી કરવામાં આવે છે અને તે દિવસે ગામદીઠ લગ્ન સાથે સમૂહમાં ભોજન આયોજીત થાય છે. સમાજના પ્રમુખ તેજાભાઇ આહિરે જણાવ્યુ હતું કે સમાજ દ્વારા ખોટા ખર્ચે બચાવવા માટે આ નક્કી કરવામાં આવ્યું હતું. જેને સંપુર્ણ સમાજે ટેકો આપી 23 વર્ષથી આ રીતે લગ્ન આયોજીત કરી રહ્યા છે. તો સમાજ દ્વારા સમૂહ સમુહ ભોજન માટે નજીવો ખર્ચ દરેક લગ્ન કરનાર પરિવાર પાસે લેવાય છે સામે લાખો રૂપીયાની ભેટ કન્યાઓને અપાય છે. જેનો ફાયદો સમાજને થયો છે. જે અન્ય સમાજ માટે પ્રેરણારૂપ બની શકે.

કચ્છમાં આહિર સમાજમાં અલગ-અલગ દિવસે પરંતુ એકજ દિવસે લગ્ન કરવાની પરંપરા વર્ષોથી છે. પ્રાથળીયા આહિર સમાજમાં તો અંધારી તેરસના દિવસે એક જ દિવસે લગ્ન યોજાય છે. બાકીના દિવસોમાં સમાજના કોઇ લગ્ન પણ થતા નથી તો મછોયા આહિર સમાજ પણ એક જ દિવસે લગ્ન યોજવા સાથે સમુહ લગ્નનુ આયોજન કરવાની અનોખી પહેલને ટકાવી બેઠા છે. ગત વર્ષે કોરોના મહામારીના પગલે લગ્ન આયોજીત થયા ન હતા પરંતુ આજે ચૂંટણીના પડધમ વચ્ચે પણ કચ્છના અનેક ગામોમાં સમૂહમાં 1080 લગ્નો આયોજીત થયા હતા.

આ પણ વાંચો : Bhavnagar : સ્ત્રી આરોગ્ય કાર્યકરની ફરજનિષ્ઠા, લગ્ન મંડપમાં વેક્સિનેશનને પ્રાથમિકતા આપી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">