ભવનાથમાં 5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો થશે પ્રારંભ, મહા વદ નોમથી તેરસ સુધી ભાવિકો ભજન ભોજન અને ભક્તિમાં થશે લીન- વીડિયો

જુનાગઢમાં 5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવાનો છે. દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનુ આયોજન કરવામાં આવે છે. આ મેળાના આયોજનને લઈને વિવિધ અખાડાઓના સાધુસંતોની બેઠક મળી હતી. જેમા મેળાના વ્યવસ્થાપનને લઈને ચર્ચા કરાઈ હતી.

Follow Us:
| Updated on: Feb 27, 2024 | 7:08 PM

જુનાગઢમાં 5મી માર્ચથી મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવાનો છે. દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનુ આયોજન કરવામાં આવે છે.  મેળાના આયોજનને લઈને વિવિધ અખાડાઓના સાધુસંતોની બેઠક મળી હતી. જેમા મેળાના વ્યવસ્થાપનને લઈને ચર્ચા કરાઈ હતી.

દર વર્ષે મહા વદ નોમથી- તેરસ સુધી યોજાય છે મહાશિવરાત્રીનો મેળો

લાખો ભાવિકોની આસ્થા, આગમન તેમજ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ ગણાતા મહાશિવરાત્રીના મેળાનો 5મી માર્ચથી પ્રારંભ થવાનો છે. દર વર્ષે મહા વદ નોમથી તેરસ એમ ચાર દિવસ સુધી આ મેળો યોજાય છે. 5 માર્ચથી 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં આવતા ભાવિકોને કોઈ જાતની અગવડ ન પડે મેળાની પારંપારિક રીતે યોજાતી વિધિ સરળતાથી થાય તે માટે સાધુ સંતોની બેઠક યોજાઈ હતી. ભવનાથ તળેટીમાં પંચ દશનામ જુના અખાડામાં યોજાયેલી બેઠકમાં અગ્નિ અખાડા, આહ્વાન અખાડા અને જુના અખાડાના હોદ્દેદારો સહિતના જોડાયા હતા. સંતોએ મેળામાં આવનારા ભાવિકોને હાઈકોર્ટના આદેશને અનુસરી પ્લાસ્ટિકને ઉપયોગ ન કરવા ખાસ અપીલ કરી છે.

આ બેઠક બાદ ભવનાથના મહંત રૂદ્રેશ્વર જાગીર ભારતીએ જણાવ્યુ હતુ કે તંત્ર દ્વારા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે અને જો કંઈ ઘટ હશે તો આ બાબતે તંત્ર સાથે ચર્ચા કરવામાં આવશે. મુષ્કુંદ ગુફા ભવનાથના મહંત મહેન્દ્રનંદ ગીરીએ જણાવ્યુ હતુ આ મેળા દરમિયાન સંતો તરફથી કોઈ અસુવિધા કે અવ્યવસ્થા ન સર્જાય તેની પુરતી તકેદારી રાખવામાં આવશે. તેમજ અખાડાની, ગુરુમૂર્તિ અને સનાતનની પરંપરામાં ક્યાંય કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.

જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક

ભવનાથ મંદિરમાં ધજારોહણ સાથે મહાશિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ

ભવનાથમાં દર વર્ષે યોજાતા મહાશિવરાત્રીના મેળાને લઈને તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ચાર દિવસ સુધી ચાલતા આ પ્રસિદ્ધ મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી એસટી નિગમ દ્વારા ખાસ વધારાની બસોની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. . મેળો શરૂ થવાના બે દિવસ અગાઉથી જ ભવનાથ તળેટીમાં સાધુ સંતોનું આગમન શરૂ થઈ જાય છે. ભવનાથ મહાદેવના મંદિરમાં ધજારોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ થાય છે.

મૃગીકુંડમાં સાધુ સંતોના સ્નાન બાદ મેળો પૂર્ણ થશે

ત્યારબાદ ત્રણ અખાડામાં ધ્વજારોહણ થાય છે. ભવનાથમાં પરંપરાગત રવેડી બાદ સાધુ-સંતો વહેલી સવારે મૃગીકુંડમાં સ્નાન કરે છે અને આ સ્નાન બાદ મેળો સંપન્ન થાય છે. મહાશિવરાત્રીના કારણે સોમનાથ મંદિર સહિત સમગ્ર સોરઠમાં લોકો ભગવાન શિવની ભક્તિમાં લીન થાય છે અને જય ગિરનારી, બમ બમ ભોલે અને હરહર મહાદેવના નારા સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની જાય છે.

મેળા દરમિયાન ગિર સફારી પાર્ક રહેશે બંધ

મહાશિવરાત્રીના મેળા દરમિયાન વન વિભાગનો સ્ટાફ પણ મેળામાં વ્સસ્ત રહેતા હોવાથી પાંચ દિવસ સુધી ગીર નેચર સફારી પાર્ક બંધ રાખવામાં આવે છે.

આ પણ વાંચો: WITT: Tv9ના મંચ પરથી પીએમ મોદીના ભાષણની 9 મહત્વની વાત

Input Credit- Vijaysinh Parmar- Junagadh    

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
g clip-path="url(#clip0_868_265)">