Junagadh: બ્રેક ફેઈલ થતા ટ્રકે સર્જ્યો અકસ્માત, એક યુવક ઈજાગ્રસ્ત જ્યારે કેટલાક વાહનોમાં થયું નુક્સાન

|

May 13, 2022 | 3:39 PM

Junagadh: શહેરના ચિતાખાના ચોક પાસે મોડી રાત્રીના આઈસર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ટ્રકની બ્રેક ફેઇલ થઈ જતા અકસ્માત થયો હોવાની વાત સામે આવી રહિ છે.

Junagadh: બ્રેક ફેઈલ થતા ટ્રકે સર્જ્યો અકસ્માત, એક યુવક ઈજાગ્રસ્ત જ્યારે કેટલાક વાહનોમાં થયું નુક્સાન
Junagadh truck accident

Follow us on

Junagadh: શહેરના ચિતાખાના ચોક પાસે મોડી રાત્રીના આઈસર ટ્રક વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં ટ્રકની બ્રેક ફેઇલ થઈ જતા અકસ્માત થયો હોવાની વાત સામે આવી રહિ છે. ઢાળ રોડ પરથી ટ્રક આવતો હતો ત્યારે બ્રેક ન લાગતા આ અકસ્માત થયો હતો. આ ઘટનામાં એક યુવક ઈજાગ્રસ્ત થયો હતો સાથે જ કેટલાક વાહનોમાં નુક્સાન થયું હતું. હાલ આ સમગ્ર મામલે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે આ અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. તેને શોધવા માટે પણ પોલીસે ચક્રો ગતીમાન કર્યા છે.

જૂનાગઢ જિલ્લાના ખેડૂત પુત્રએ મેળવ્યા 99.83 PR

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામમાં અમરેલીના લાઠીની કલાપી વિનય મંદિર શાળાએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે. કલાપી વિનય મંદિર શાળા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 96.12 ટકા પરિણામ સાથે ગુજરાતમાં પ્રથમ નંબર પર આવી છે. ગ્રાન્ટેડ શાળા પ્રથમ નંબર પર આવતા શિક્ષકો અને સંચાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગામના આગેવાનોએ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. તો ચેમ્બર ઓફ કોમર્સના આગેવાનોએ પણ ખુશી વ્યક્ત કરી હતી.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ વર્ષે રાજ્યનું 72.2 ટકા પરિણામ આવ્યું છે ત્યારે જૂનાગઢ જિલ્લાનું 80.26 ટકા પરિણામ આવ્યું છે. જિલ્લામાંથી કુલ 2 હજાર 563 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે પૈકી 2 હજાર 57 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે 511 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. રાજકોટમાં જે વિધાર્થીઓ સારા પરિણામ સાથે ઉતીર્ણ થયા છે તેમાં એક ખેડૂતનો પુત્ર પણ છે.જુનાગઢ જિલ્લાના આણંદપર ગામનો રહેવાસી અમિત ચોવટીયા નામના વિધાર્થીએ 99.83 પીઆર મેળવીને તેના માતા પિતાનું નામ રોશન કર્યું છે.અમિત હવે મેડિકલ ફિલ્ડ પસંદ કરવા માંગે છે અને ડોક્ટર બનીને તેના માતા પિતાનું નામ રોશન કરવા માંગે છે.

Next Article