Junagadh: વાદળથી વાતું કરે ઊંચો ગઢ ગિરનાર, ગિરનાર પર મેઘાડંબર અને હરિયાળી જોઇને પ્રવાસીઓ ખુશખુશાલ

|

Jul 02, 2022 | 11:50 AM

વરસાદને (Rain)કારણે ગિરનાર(Girnar) ઉપર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને જાણે પ્રકૃતિએ લીલી ઓઢણી ઓઢી હોય તેમ જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદને કારણે હરિયાળી છવાઈ ગઈ છે

Junagadh: વાદળથી વાતું કરે ઊંચો ગઢ ગિરનાર, ગિરનાર પર મેઘાડંબર અને હરિયાળી જોઇને પ્રવાસીઓ ખુશખુશાલ
Beautiful view of Girnar in monsoon

Follow us on

અષાઢી બીજનું ટાણું સાચવતા જૂનાગઢ (Junagadh)જિલ્લામાં મેઘરાજાએ હાજરી નોંધાવી હતી. છેલ્લા થોડા સમયથી થઈ રહેલા વરસાદને (Rain)કારણે ગિરનાર(Girnar) ઉપર પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે અને જાણે પ્રકૃતિએ લીલી ઓઢણી ઓઢી હોય તેમ જૂનાગઢના ગિરનાર પર્વત પર વરસાદને કારણે હરિયાળી છવાઈ ગઈ છે તેના લીધે તળેટી વિસ્તાર તેમજ ગિરનાર પર્વત ઉપર અપ્રતિમ સૌંદર્ય ખીલી ઉઠયું છે. અહીં છવાયેલી હરિયાળી જોઈને મનોમસ્તિષ્કને શાતા પહોંચે છે.

 

The incomparable beauty of Girnar covered with Dence clouds

ગિરનાર પર અવરજવર કરતા પ્રવાસીઓએ વરસાદને પગલે ગિરનાર પરથી વહેતા પાણીમાં ન્હાવાની મજા માણી હતી અને મોબાઇલમાં આ અપ્રતિમ સૌંદર્યના વીડિયો પણ લીધા હતા. જોકે વરસાદને પગલે ગિરનાર પર અવરજવર માટે રોપ વે બંધ કરવામાં આવ્યો હતો. સૌરાષ્ટ્ર કચ્છમાં અષાઢી બીજના વરસાદનું આગવું મહત્વ હોય છે ત્યારે જૂનાગઢમાં થયેલા વરસાદથી લોકો વધારે ખુશ થઈ ગયા હતા અને વરસાદી વાતાવરણમાં અષાઢી બીજના પર્વનો આનંદ માણ્યો હતો.  જૂનાગઢ નજીક આવેલા ગીર જંગલ પાસે આવેલી મછુન્દ્રી નદીમાં નવા પાણીની આવક થતા  દ્રોણેશ્વર ડેમનો બંધારો પ્રથમ  વાર  છલકાઈ ગયો હતો. જૂનાગઢ જિલ્લાના  કેશોદ, માંગરોળ જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તાર સહિતના તાલુકામાં સરેરાશ અડધાથી બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો

જૂનાગઢમાં ગિરનારનું સૌંદર્ય એવું ખીલે છે જે દૂરથી પણ દેખાય છે અને ખાસ આ જ નજારો જોવા માટે કેટલાક પ્રવાસીઓ દૂરદૂરથી આવતા હોય છે અને પ્રકૃતિના ખોળે સમય વિતાવવાનું પસંદ કરતા હોય છે. થોડા દિવસ અગાઉ પણ  ગિરનાર પરથી વહેતા પાણીનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં જોવા મળ્યું હતું કે ગિરનારની  વિવિધ કંદરાઓમાંથી વહેતા પાણીને લીધે શિવજીની જટામાંથી ગંગાજી વહી રહ્યા હોય તેવો નજારો સર્જાયો હતો.  જૂનાગઢમાં વરસાદ થતા  હંમેશાં નયનરમ્ય નજારો જોવા મળતો હોય છે અને પ્રવાસીઓ ખાસ આ કુદરતી દ્રશ્યોને માણવા માટે જૂનાગઢની મુલાકાત લેતા હોય  છે.

છેલ્લા ઘણા સમયથી  સૌરાષ્ટ્રમાં ખૂબ સારો વરસાદ થઈ રહ્યો છે જેના પગલે  ગિરનાર પર્વત ઉપર લીલોતરીને પગલે હરિયાળું  વાતાવરણ સર્જાઈ ગયું છે અને તળેટી વિસ્તારમાં આવેલા દામોદર કુંડ, મુચકંદ ગુફા પાસે આવેલા કુંડમાં પણ ડુંગર ઉપરથી નવું પાણી આવી રહ્યું છે.  આ દ્રશ્યો જોઈને સ્થાનિકો તેમજ જૂનાગઢમાં આવેલા પ્રવાસીઓ મનભરીને આ દ્રશ્યો માણી રહ્યા છે તેમજ ફોટોગ્રાફીનો આનંદ પણ માણતા હોય છે.

 

Published On - 11:49 am, Sat, 2 July 22

Next Article