AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હરિહરાનંદ બાપુએ જૂનાગઢ પહોંચતાં જ નવો આક્ષેપ કર્યો, સરખેજ આશ્રમની ખોટી વસિયત પાછળ સ્ત્રી પાત્ર પણ સંડોવાયેલું છે

ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ વીલ મુજબ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદજી ભારતીને નિયુક્ત કરવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવાદની શરૂઆત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

હરિહરાનંદ બાપુએ જૂનાગઢ પહોંચતાં જ નવો આક્ષેપ કર્યો, સરખેજ આશ્રમની ખોટી વસિયત પાછળ સ્ત્રી પાત્ર પણ સંડોવાયેલું છે
Hariharanand Bharti Bapu (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2022 | 11:30 AM
Share

છેલ્લા ચાર દિવસથી ગુમ થયેલા ભારતી આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ (Hariharanand Bapu) જૂનાગઢ (Junagadh) પહોંચ્યા છે. જૂનાગઢ આશ્રમ પહોંચ્યા બાદ હરિહરાનંદ બાપુએ ઋષિભારતી પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું, સરખેજ ભારતીની સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને સરખેજ આશ્રમ (Sarkhej Ashram) નું ઋષિભારતીએ ખોટુ વિલ બનાવ્યું છે. આશ્રમની ખોટી વસિયત પાછળ સ્ત્રી પણ સંડોવાયેલી હોવાનો ગંભીર આક્ષેપ બાપુએ કર્યો છે. હરિહરાનંદ બાપુએ એમપણ કહ્યું, બોગસ વિલમાં શાંતિપુરા સનાથલમાં 85 વિઘા જમીનનો પણ ઉલ્લેખ કરાયો છે. આ સમગ્ર વિવાદથી વ્યથિત બાપુએ ગાદી, સંપત્તિ છોડવાનો નિર્ણય કર્યો હતો.

બીજી તરફ હરિહરાનંદ બાપુએ કહ્યું, આગામી સમયમાં ટ્રસ્ટીમંડળની બેઠક મળશે. જેમાં ભારતી આશ્રમના તમામ ટ્રસ્ટીઓ હાજર રહેશે. ઉપરાંત સમગ્ર વિવાદને લઈને કોર્ટમાં જવાની પણ વાત કરી હતી. મહત્વનું છે કે, ભારતી આશ્રમનું મુખ્ય મથક જૂનાગઢની ગિરનારની તળેટી ભવનાથમાં આવેલું છે. ઉપરાંત પાંચ અન્ય સ્થળો પર ભારતી આશ્રમ આવેલા છે. જેમાં અમદાવાદમાં સરખેજમાં અને એક કેવડિયામાં મળીને કુલ 3 આશ્રમો છે. ભારતી બાપુ બ્રહ્મલીન થયા બાદ વીલ મુજબ ગાદીપતિ તરીકે મહામંડલેશ્વર હરિહરાનંદજી ભારતીને નિયુક્ત કરવામાં આવ્યા હતાં. ત્યારથી જ વિવાદની શરૂઆત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

જૂનાગઢના ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ ભારતી બાપુ જૂનાગઢ પહોંચ્યા છે. છેલ્લા ચાર દિવસથી ગુમ થયા બાદ તેવો નાસિકથી મળી આવ્યા હતા. વડોદરાથી જૂનાગઢ ભારતી આશ્રમ પહોંચ્યા હતા. સરખેજના ભારતી આશ્રમના વિવાદને લઇને હરીહરાનંદ બાપુ નાસિક ચાલ્યા ગયા હતા તેવો ખુલાસો થયો હતો. આ ઉપરાંત હું વાદ-વિવાદથી દૂર ત્રમ્બકેશ્વરમાં ઝૂંપડુ બાંધીને ધાર્મિક માહોલમાં રહેવા ઇચ્છતો હતો. આ મોટો ખુલાસો કર્યો છે નાસિકથી મળી આવેલા ગુમ હરીહરાનંદ બાપુએ. બાપુએ વડોદરા ક્રાઇમ બ્રાંચ સમક્ષ કરેલા ખુલાસા પર નજર કરીએ તો આશ્રમ ત્યજીને બાપુ ત્રમ્બકેશ્વરમાં સ્થાયી થવા ઇચ્છતા હતા.અને ત્રમ્બકેશ્વરમાં જ ઝૂંપડુ બાંધીને રહેવાનો નિર્ણય કર્યો હતો.

વિવાદથી વ્યથિત બાપુએ ગાદી, સંપત્તિ છોડવાનો નિર્ણય કર્યો હતો. 30મી એપ્રિલે બાપુ કપુરાઇ ચોકડીથી ટેમ્પોમાં બેસી ત્રમ્બકેશ્વર જવા નિકળ્યા હતા અને મનોર નજીક ફૂટપાથ પર રાતવાસો કર્યો હતો. મહત્વપૂર્ણ છે કે વડોદરાથી 300 કિમી દૂર નાસિક નજીકથી મળેલા બાપુએ સરખેજ આશ્રમની સંપત્તિ માટે દબાણ કરાતુ હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારે હવે પોલીસ આ કેસમાં શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
ક્રિસમસે ચમકાવ્યો હીરા ઉદ્યોગ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
હાર્દિક પટેલ સહિત તમામ નેતાઓને રાજદ્રોહના કેસમાં કોર્ટે આપી ક્લીન ચીટ
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">