Junagadh: રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે જુનાગઢમાં ભારે વરસાદ અને પવનને કારણે ગિરનાર રોપવે બંધ કરવાની ફરજ પડી છે. મહત્વનુંં છે કે,પવનની ગતિ ધીમી પડતા ફરીથી રોપ વે સેવા શરૂ કરવામાં આવશે.
આ પહેલા 22 જુલાઈએ પણ ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા સતત ત્રણ દિવસ સુધી રોપ વેને બંધ રાખવાની ફરજ પડી હતી. સામાન્યરીતે ગીરનાર પર્વત પર વરસાદ સાથે પવનનું પ્રમાણ વધું હોય છે. આપને જણાવવું રહ્યુ કે, ગિરનાર પર 70થી 80 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા રોપ વે બંધ કરવામાં આવ્યો છે.અકસ્માતના સર્જાય તે માટે આગમચેતીના ભાગરૂપે રોપ વે સેવા હાલ સ્થગીત કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : SURAT : શહેરની 800 જેટલી સ્કૂલોમાં ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ, દર 15 દિવસે વિદ્યાર્થીઓનું ટેસ્ટીંગ કરાશે
આ પણ વાંચો : Rajkot : જેતપુરની ભાદર નદીમાં કલર કેમિકલનો કચરો ઠાલવતી કંપનીને જીપીસીબીએ ફટકારી ક્લોઝર નોટિસ
Published On - 10:48 am, Wed, 28 July 21