AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : શ્રાવણી મેળો ફરી વિવાદમાં, નિયમોનો ભંગ થતાં 33 પ્લોટના વીજ જોડાણ કપાયા

જામનગર શહેરમાં મહાનગર પાલિકા સંચાલિત શ્રાવણી મેળામાં એક બાદ એક વિવાદ સામે આવ્યા છે. મેળામાં કુલ 58 પ્લોટ આવેલા છે. જેમને આપવામાં આવેલી નિયત જગ્યા કરતા વધુ જગ્યાનો ઉપયોગ કરતા હોવાનું મહાનગર પાલિકાના ચેકીંગમાં સામે આવ્યું હતું. જે 20 ટકાથી વધુ જગ્યાનો ઉપયોગ કરતા હોય તેવા 33 પ્લોટ ધારકોને નોટીસ આપવામાં આવી હતી.

Jamnagar : શ્રાવણી મેળો ફરી વિવાદમાં, નિયમોનો ભંગ થતાં 33 પ્લોટના વીજ જોડાણ કપાયા
Jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: Sep 04, 2023 | 7:05 PM
Share

Jamnagar : જામનગરમાં શ્રાવણી મેળો વિવાદનો મેળો બન્યો છે. મેળાના 58 સ્ટોલ પૈકી 33 સ્ટોલના વીજ કનેકશન (Power Connection) તંત્ર દ્વારા કાપવામાં આવ્યા છે. નિયમભંગ બદલ નોટીસ આપ્યા બાદ પણ કોઈ કાર્યવાહી ના કરતા મનપા દ્વારા 33 પ્લોટને દંડ ફટકારી વીજ કનેક્શન કાપવામાં આવ્યા છે.

આ પણ વાંચો લોકસભા ચૂંટણી 2024માં જામનગરના સાંસદ પૂનમ માડમની ટિકિટ પાક્કી ! સી આર પાટીલે જાહેર મંચ પરથી આપ્યો સંકેત, જૂઓ Video

જામનગર શહેરમાં મહાનગર પાલિકા સંચાલિત શ્રાવણી મેળામાં એક બાદ એક વિવાદ સામે આવ્યા છે. મેળામાં કુલ 58 પ્લોટ આવેલા છે. જેમને આપવામાં આવેલી નિયત જગ્યા કરતા વધુ જગ્યાનો ઉપયોગ કરતા હોવાનું મહાનગર પાલિકાના ચેકીંગમાં સામે આવ્યું હતું. જે 20 ટકાથી વધુ જગ્યાનો ઉપયોગ કરતા હોય તેવા 33 પ્લોટ ધારકોને નોટીસ આપવામાં આવી હતી. જેમાં કુલ 13.50 લાખનો દંડ ભરવા આદેશ કર્યો હતો. પરંતુ દંડ ના ભરતા મહાનગર પાલિકા દ્વારા એક સાથે 58 પ્લોટ પૈકી 33 પ્લોટના લાઈટ કનેક્શન કાપી નાખવા આદેશ કર્યો છે.

મેળામાં અનેક રેકડીવાળા અને પાથરણાવાળાઓએ કબ્જો કર્યો હતો. જેની ફરીયાદ ઉઠતા તેને દુર કરવા માટે મહાનગર પાલિકાની ટીમ દ્વારા મેળામાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્લોટધારકો દ્વારા ફાળવેલ જગ્યા કરતાં વધુ જગ્યાનો કબ્જો કર્યો હોવાનું સામે આવ્યું હતું. તેથી મહાનગર પાલિકાએ દંડ ભરવા નોટીસ આપી હતી. પરંતુ મેળામાં પ્લોટધારકો નોટીસને ગણકારી નહી. તેથી 33 પ્લોટના વીજ કનેકશન કાપવા મહાનગર પાલિકાએ PGVCLને આદેશ આપ્યો હતો. જેના કારણે 55 ટકા પ્લોટમાં લાઈટ ગુલ થઈ છે. હવે પ્લોટ માલિકોએ દંડની રકમ ભરવા અને ફરી વીજ કનેક્શન મેળવવા દોડધામ શરૂ કરી છે.

મેળામાં આ પ્રથમ વિવાદ નથી. મેળામાં પ્લોટધારકો અનેક નિયમોનો ભંગ કરતા હોવાની ફરીયાદ ઉઠી છે. મેળામાં વીજ ચોરી કરતા હોવાની ફરીયાદ થઈ હતી. તો આશરે 35થી વધુ રેકડી વાળાઓએ મેળામાં કબ્જો કરીને વેપાર શરૂ કર્યો હતો. માત્ર 8 પ્લોટમાં ફાયર સેફટીની મંજુરી મેળવી છે. રાઈડસના સંચાલકો દ્વારા રાઈડ્સના ભાવ નક્કી થયા હોય તેના બોર્ડ લગાવવાના હોય છે, પરંતુ તે નિયમનું પણ સંચાલકો પાલન કરતા નથી. તેથી મનોરંજનનો આ મેળો લોકો માટે લૂંટ મેળો બનતો હોય તેવું લાગે છે. નિયમોના પાલન કરવાની જેની જવાબદારી છે. તે કોઈ પગલા ના લેતા હોવાથી લોકોને વધુ નાણા ચુકવવા પડે છે.

જામનગરમાં આ વખતે શ્રાવણી મેળો વિવાદો સાથે શરૂ થયો છે. પહેલા મેળાનું ઉદ્ઘાટન નિયત દિવસે ના થયું. બાદમાં વીજ ચોરી અંગે સવાલો ઉઠ્યા, રેકડીઓનો મેળામાં કબજો, હાલ પ્લોટ ધારકોની વધુ જગ્યામાં દબાણ અને રાઈડ્સ સંચલાકો દ્વારા ભાવના બોર્ડ ના લગાવવા સહિત મુદાઓ સામે આવ્યા છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">