Jamnagar: બ્રાસ ઉદ્યોગને કોરોનાનું ગ્રહણ લાગતા કેન્દ્ર સરકાર પાસે કરી રાહતની માંગ
બ્રાસ ઉદ્યોગને 50 ટકા અસર થઈ હોવાના કારણે પણ નજર કરીએ તો બ્રાસનું વેચાણ દેશભરમાં મહાનગરો મુંબઈ અને દિલ્હીથી વધુ થતુ હોય છે. કોરોનાની અસરના કારણે બ્રાસની માંગ ઓછી થઈ છે.
સુરત (Surat)ને ડાયમંડ સીટી કહેવાય, તેવી રીતે જામનગર (Jamnagar) બ્રાસ સીટી તરીકે ઓળખાય છે. જામનગરમાં કુલ 8000થી પણ વધુ બ્રાસ (Brass)ના એકમો આવેલા છે. જેમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 3 લાખથી વધુ લોકોને રોજગારી આપતો આ ઉદ્યોગ છે. જામનગરમાં ચશ્માના પાર્ટથી લઈને પ્લેનના પાર્ટ બને છે. જેની દેશ વિદેશમાં માંગ રહે છે. જેનુ ટનઓવર 200 કરોડથી વધુ થતુ હોય છે.
પરંતુ કોરોનાની અસરના કારણે ટનઓવર 100 કરોડની આસપાસ થયુ છે. એટલે કે હાલ 50 ટકા ઉદ્યોગ બંધ હોય તેવી સ્થિતીમાં જોવા મળે છે. બ્રાસ ઉદ્યોગને 50 ટકા અસર થઈ હોવાના કારણે પણ નજર કરીએ તો બ્રાસનું વેચાણ દેશભરમાં મહાનગરો મુંબઈ અને દિલ્હીથી વધુ થતુ હોય છે. કોરોનાની અસરના કારણે બ્રાસની માંગ ઓછી થઈ છે. તેમજ બ્રાસના કાચા માલમાં વપરાતા મેટલમાં એક કિલો પર 70 રૂપિયા જેવો વધારો થતાં તે નાના એકમને પરવડે તેમ ના હોવાથી તેની અસર ઉત્પાદનમાં જોવા મળે છે.
આ ઉપરાંત બ્રાસ ઉદ્યોગમાં મોટાભાગના મંજુરો પરપ્રાંતિય હોય છે. જે કોરોનાના કારણે વતન જતા રહેતા પરત ઓછા આવતા હોવાથી તેની અસર ઉદ્યોગને થઈ છે. ચાઈનાની બજારને ટક્કર આપવા માટે બ્રાસને સસ્તુ બજારમાં મુકવુ જરૂરી છે. જે માટે ઉદ્યોગકારો માંગ કરી છે, જો સરકાર જીએસટી ઓછુ કરે તો બ્રાસ સસ્તુ બજારમાં વેચાણ થઈ શકે.
તેમજ આ ઉદ્યોગને ફરી વેગવંતો કરવા માટે સરકાર ખાસ કોઈ રાહત પેકેજ જાહેર કરવુ જોઈએ. જામનગર ફેક્ટરી ઓનર્સ એસોસિયેશન દ્વારા કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમનની પાસે માંગ કરી છે. જો કેન્દ્ર સરકાર બ્રાસસીટીને ખાસ કોઈ પેકેજ કે રાહત આપે તો ફરી બ્રાસ ઉદ્યોગ મંદીની મારથી બહાર આવી શકે.
આ પણ વાંચો: Ahmedabad : એરપોર્ટ ઓથોરિટી દ્વારા ઉઘાડી લૂંટ, રિક્ષા ચાલકો પાસેથી વસુલાય છે 60 રૂપિયા પિકઅપ ચાર્જ