AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: શહેરમાં જુનિયર એન્જિનિયરો જર્જરીત ઈમારતોનો સર્વે કરશે, બે સપ્તાહમાં રિપોર્ટ સોંપવા આદેશ, જુઓ Video

જામનગર શહેરમાં અનેક ઈમારતો જર્જરીત હાલત છે. 23 જુનના રોજ બિલ્ડિંગ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયા હતા. તેમજ ફરી આવા બનાવ ના બને તે માટે મહાનગર પાલિકા દ્રારા આવી ઇમારતોના સર્વે માટે 16 ટીમ કાર્યરત કરવામાં આવી છે.

Jamnagar: શહેરમાં જુનિયર એન્જિનિયરો જર્જરીત ઈમારતોનો સર્વે કરશે, બે સપ્તાહમાં રિપોર્ટ સોંપવા આદેશ, જુઓ  Video
Jamnagar dilapidated buildings
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 06, 2023 | 8:15 PM
Share

Jamnagar: જામનગર શહેરના સાધના કોલોની ગત 23 જુનના રોજ એક ઇમારત( Building) ધરાશાઈ થઈ હતી. જેની બાદ મહાનગર પાલિકા ટીમ દ્રારા શહેરના આવા વિસ્તારોનો સર્વે કરવા આદેશ આપ્યો છે. જેમાં શહેરના કુલ 16 વોર્ડમાં 16 જુનિયર ઈજનેરની ટીમ બનાવવામાં આવી છે.

બે સપ્તાહમાં વોર્ડમાં તમામ બીલ્ડીંગનો સર્વે કરીને જર્જરીત ઈમારતનો સર્વેની કામગીરી પુર્ણ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

ઇમારતોના સર્વે માટે 16 ટીમ કાર્યરત કરવામાં આવી

જામનગર શહેરમાં અનેક ઈમારતો જર્જરીત હાલત છે. 23 જુનના રોજ બિલ્ડિંગ ધરાશાયી થતા ત્રણ લોકોના મોત થયા હતા. તેમજ ફરી આવા બનાવ ના બને તે માટે મહાનગર પાલિકા દ્રારા આવી ઇમારતોના સર્વે માટે 16 ટીમ કાર્યરત કરવામાં આવી છે. જે 16 ટીમ 16 વોર્ડમાં 2 સપ્તાહમાં સર્વે પુર્ણ કરીને તમામ વિગતો વિભાગને સોપશે. ત્યાર બાદ જે વધુ જોખમી હોય તેવી ઈમારતોને દુર કરવાની કાર્યવાહી કરાશે.

તંત્ર દ્રારા જર્જરીત બિલ્ડિંગ મુજબ કાર્યવાહી કરાશે

તેમજ શકય હોય તેને માલિકો દ્રારા નિયત સમયમા રીપેર કરવાની નોટીસ આપવામાં આવશે. હાલ 16 ટીમમાં જુનિયર ઈજનેર અને સાથે એક વર્ક આસિસ્ટન્ટ બે લોકોની ટીમ દ્રારા આ સર્વેની કામગીરી કરવામાં આવે છે. બે સપ્તાહ બાદ આવી ઈમારતો, માલિકનુ નામ, સરનામુ, બીલ્ડીંગની હાલ ફોટા સહિતની વિગત તૈયાર કરીને વિભાગને આપવામાં આવશે. ત્યાર બાદ તંત્ર દ્રારા જર્જરીત બિલ્ડિંગ મુજબ કાર્યવાહી કરાશે.

જુન માસમાં 28 જર્જરીત ઈમારતોનો કેટલોક ભાગ તંત્ર દ્વારા દૂર કરાયો

બીપોરજોય વાવાઝોડા આગાહી થઈ ત્યારથી જુન માસના અંત સુધીમાં શહેરમાં 28 જગ્યાએ ટીપીઓ શાખા કામગીરી કરવામાં આવી. ખુબ જ જોખમી લાગતી ઈમારતોને દુર કરવાની અથવા ઈમારતનો કેટલોક ભાગ જોખમી હોવાથી તે દુર કરવાની કામગીરી મહાનગર પાલિકાની ટીપીઓ શાખા દ્રારા કરવામાં આવી. વાવાઝોડા વખતે આવી ઈમારતો દુર કરવાની કામગીરી કરવામાં આવી.

જેમાં લાંબા સમયથી જોખમી ઈમારતો હોય, નોટીસ બાદ પણ ઈમારતના માલિક દ્રારા કામગીરી ના થતા ટીપીઓની ટીમે ત્યાં હથોડા લગાવીને જોખમી ભાગ દુર કર્યો. તેમજ ચોમાસા પહેલા આવી ઈમારતના કારણે આસપાસના લોકોને ભય લાગતા ફરીયાદ મળી હોય, લાંબા સમયથી ઈમારતોને ઉપયોગ થતો ના હોય જોખમી હોય તેવી ઈમારતોને દુર કરવાની કામગીરી કરવામાં આવી.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">