AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: ધ્રોલમાં પતિએ પત્નિની હત્યા કરીને લાશને દફન કરી, પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો

આરોપી પતિ મનસુખની પુછપરછ કરતા હત્યાના કારણનો ખુલાસો કર્યો. સોનલે અગાઉ પ્રેમલગ્ર કર્યા હતા. ત્યાં એક સંતાન થયા બાદ પતિને છોડી ફરી મનસુખના મોટાભાઈ જગદીશ સાથે પ્રેમલગ્ર કર્યા હતા. થોડા વર્ષો બાદ જગદીશએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. તેના મૃત્યુ બાદ ફરી દિયર મનસુખ સાથે લગ્ર કર્યા. બંને ભાઈ સાથેના સંબંધમાં બે સંતાન થયા.

Jamnagar: ધ્રોલમાં પતિએ પત્નિની હત્યા કરીને લાશને દફન કરી, પોલીસે હત્યાનો ભેદ ઉકેલ્યો
Jamnagar Husband Killed Wife
Divyesh Vayeda
| Edited By: | Updated on: Apr 05, 2023 | 11:40 PM
Share

જામનગરના ધ્રોલમાં પતિએ પત્નિની હત્યા કરી બાદ પત્નિને લાશને ઘર નજીક દફન કરી હતી. દિવસો સુધી પરિવારજનો સાથે વાત ના થતા પરિવારજનોએ પોલીસને ફરીયાદ કરી. પોલીસ તપાસમાં ખુલ્યુ કે ચાર દિવસ પહેલા જ તેની હત્યા કરીને દફન કરી છે. પોલીસે લાશને ખાડો ખોદીને બહાર કઢાવી. મૃતદેહને પીએમ માટે મોકલીને આરોપી પતિની અટકાયત કરી છે. જામનગરના ધ્રોલમાં પત્નિની હત્યા કરીને દફન કરી હતી બાદમાં પરિવારજનોએ શંકા જતા પોલીસની મદદ લીધી. પોલીસે પતિની પુછપરછ કરતા ખુલાસો કર્યો. મનસુખ ખાંભુએ પોતાની પત્નિની જ હત્યા કરી. તેને દફન કરી દીધી . 1 એપ્રિલના રોજ ઇટ્ટના ભઠ્ઠા પાસે રાત્રિના સમયે મનસુખે તેની પત્નિ સોનલને ગળે ટુંપો આપીને તેની હત્યા કરી હતી.

પોલીસે પતિ મનસુખને પુછતા હત્યા કરી દફન કર્યાનો ખુલાસો કર્યો

તેની લાશને રેકડીમાં ઘરે લાવીને ખાડામાં કાપડમાં વીટીને દાટી દીધેલ હતી. ચાર દિવસ સુધી સોનલ સાથે પરિવારજનોની વાત ના થતા તેની માતાએ પોલીસની મદદ માંગી. પોલીસે પતિ મનસુખને પુછતા હત્યા કરી દફન કર્યાનો ખુલાસો કર્યો. જેમાં આરોપી પતિ મનસુખની પુછપરછ કરતા હત્યાના કારણનો ખુલાસો કર્યો. સોનલે અગાઉ પ્રેમલગ્ર કર્યા હતા. ત્યાં એક સંતાન થયા બાદ પતિને છોડી ફરી મનસુખના મોટાભાઈ જગદીશ સાથે પ્રેમલગ્ર કર્યા હતા. થોડા વર્ષો બાદ જગદીશએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો. તેના મૃત્યુ બાદ ફરી દિયર મનસુખ સાથે લગ્ર કર્યા. બંને ભાઈ સાથેના સંબંધમાં બે સંતાન થયા.

પતિએ આવેશમાં આવીને ગળે ટુંપો દઈને તેની હત્યા કરી

મનસુખ સાથે અવાર-નવાર તકરાર થતા તે વાલીને ત્યાં રહેતી હતી. પરિવારજનોએ સમજાવતા ત્રણ માસથી મનસુખ સાથે રહેવા આવી. ત્યાંથી ફરી અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધ રાખવા માટે વાત કરતા પતિએ આવેશમાં આવીને ગળે ટુંપો દઈને તેની હત્યા કરી. કોઈને હત્યાની જાણ ના થાય તેથી લાશને ઘરના આંગણે ખાડામાં દફન કરી હતી. મહિલાની હત્યા થઈ, પતિની પોલીસે ઘરપકડ કરી. આડા સંબંધનો કરૂણ અંત આવ્યો અને ત્રણ સંતાનોએ માતા ગુમાવી.

મૃતક યુવતીએ 27 વર્ષમાં ત્રણ પ્રેમલગ્ર કર્યા. ત્રણ સંતાનો બાદ ફરી અન્ય કોઈ સાથે સંબંધ રાખવાની વાત કરતા પતિએ તેની હત્યા કરી હતી. પોલીસે આરોપી પતિની અટકાયત કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

આ પણ વાંચો : Breaking News : અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

Follow Us
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">