AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : લો બોલો, 13 ને બદલે માત્ર 4 કર્મચારીથી જ ચાલે છે જામનગર જિલ્લાની પ્રાથમિક શિક્ષણ કચેરી

જામનગર પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કુલ 13 કર્મચારી સામે માત્ર 4 કર્મચારી છે. જયારે 9 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જેના કારણે શિક્ષણને લગતી કામગીરી યોગ્ય સમયે થઈ શકતી નથી.

Jamnagar : લો બોલો, 13 ને બદલે માત્ર 4 કર્મચારીથી જ ચાલે છે જામનગર જિલ્લાની પ્રાથમિક શિક્ષણ કચેરી
Jamnagar
Divyesh Vayeda
| Edited By: | Updated on: Aug 25, 2023 | 1:29 PM
Share

Jamnagar : એક તરફ સરકાર શિક્ષણ હેતુ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પરંતુ બીજી તરફ શિક્ષણ વિભાગમાં પુરતો સ્ટાફના હોવાથી શિક્ષણ વિભાગની કામગીરી નિયમિત થઈ શકતી નથી. જામનગર પ્રાથમિક જીલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં કુલ 13 કર્મચારી સામે માત્ર 4 કર્મચારી છે. જયારે 9 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જેના કારણે શિક્ષણને લગતી કામગીરી યોગ્ય સમયે થઈ શકતી નથી.

આ પણ વાંચો : Jamnagar : દરેડમાં આવેલ બેન્કના વોશરૂમમાં સ્પાય કેમેરો મુકનાર ઈન્ચાર્જ મેનેજરને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું

જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં મુખ્ય અધિકારી જીલ્લા શિક્ષણ અધિકારી પણ ચાર્જમાં છે. જે અન્ય સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેથી સરકારી શાળામાં પોતાની નિયત કામગીરીની સાથે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે પણ ચાર્જ આપવામાં આવ્યો છે. કામનુ ભારણ વધે છે. તેમજ સમયસર કામગીરી કરવામાં વિલંબ થતો હોય છે.

આ તો વાત અધિકારીની કરી પરંતુ અન્ય સ્ટાફની જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણ વિભાગની કામગીરી ગોકળગાયની ગતિએ થતી હોય છે. કુલ 13 કર્મચારીઓની જગ્યા માંથી માત્ર 4 જ કર્મચારી ફરજ બજાવે છે. જયારે 9 જગ્યાઓ ખાલી છે. જેમાં જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, હિસાબી અધિકારી, જુનિયર કલાર્કની 5 જગ્યાઓ ખાલી છે. તો સિનિયર કલાર્ક 2 માંથી 1 જગ્યા ભરાયેલી છે, જયારે એક જગ્યા ખાલી છે. કલાર્ક ના હોવાથી તેમજ હિસાબી અધિકારી ના હોવાથી વહીવટી કામગીરીમાં અસર થાય છે.

કેળવણી નિરીક્ષકની તમામ જગ્યાઓ ખાલી.

જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીમાં જગ્યાઓ ખાલી છે. તો તાલુકા મથકે પણ અનેક જગ્યાઓ ખાલી હોવાથી શિક્ષણ વિભાગની કામગીરીને અસર થાય છે. જેમાં જીલ્લામાં કુલ 13 કેળવણી નિરીક્ષકની જગ્યા છે. જે તમામ જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. સરકારી શાળાઓમાં કેળવણી નિરીક્ષકે મુલાકાત લઈને ત્યાંથી થતી કામગીરી પર દેખરેખ રાખવાની હોય છે. જે જગ્યાઓ ખાલી હોવાથી આ પ્રકારની કામગીરી થઈ શકતી નથી. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની મોટાભાગની જગ્યાઓ ખાલી છે. જામનગર જીલ્લામાં કુલ 6 તાલુકામાં 6 તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની જગ્યા છે. જે પૈકી માત્ર બે ટી.પી.ઓ ફરજ બજાવે છે. જ્યારે 4 જગ્યાઓ ખાલી છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">