AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : જોડીયામાં બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ માટે અનોખો સેવાયજ્ઞ, પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે ભોજન

વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને ઘરે પરત પોંહચે ત્યારે સાંજ પડી જતી હોય છે. વિદ્યાર્થીઓ ની સમસ્યાઓ પ્રત્યે આજ થી 13 વર્ષ પહેલા ગામના આગેવાનોએ પુનમબેન માડમ સમક્ષ વિદ્યાર્થીઓની મુશ્કેલીનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. સાંસદ અને માડમ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ પુનમબેન માડમ દ્વારા પોતાના પિતા એચ.આર. માડમની સ્મૃતિમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.

Jamnagar : જોડીયામાં બોર્ડની પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓ માટે અનોખો સેવાયજ્ઞ, પરીક્ષા બાદ વિદ્યાર્થીઓને કરાવવામાં આવે છે ભોજન
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 26, 2023 | 8:40 AM
Share

જામનગરના જોડિયા ખાતે બોર્ડ પરીક્ષાર્થીઓ માટે સ્વ એચ. આર. માડમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા સેવા યજ્ઞનો સતત 14 વર્ષથી કાર્યરત છે. જામનગર જિલ્લાનો છેવાડાનો તાલુકો એટલે જોડિયા, જયાં એક પણ ખાવા પીવા માટે હોટેલ ન હોવાને કારણે તાલુકા ના દૂર દૂર ગામડાના વિદ્યાર્થીઓને મુશ્કેલી પડતી હોય છે. વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા માટે જોડિયાના પરીક્ષા કેન્દ્રમાં આવતા હોય છે. અને પરીક્ષા પૂરી થયા બાદ વિદ્યાર્થીઓેને ભોજન મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાચો : Jamnagar: આયુર્વેદ અંગે જાગૃતિ માટે મિલેટ્સ આધારિત શ્રીધાન્ય મેળાનું આયોજન, મિલેટ્સ-જાડા ધાન્ય અંગેનું વિશેષ આકર્ષણ

વિદ્યાર્થીઓ પરીક્ષા આપીને ઘરે પરત પોંહચે ત્યારે સાંજ પડી જતી હોય છે. વિદ્યાર્થીઓ ની સમસ્યાઓ પ્રત્યે આજ થી 14વર્ષ પહેલા ગામના આગેવાનોએ પુનમબેન માડમ સમક્ષ વિદ્યાર્થીઓની મુશ્કેલીનું ધ્યાન દોરવામાં આવ્યુ હતુ. સાંસદ અને માડમ મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ પુનમબેન માડમ દ્વારા પોતાના પિતા એચ.આર. માડમની સ્મૃતિમાં બોર્ડ પરીક્ષાથીઓ માટે જોડિયાની લોહાણા મહાજન વાડીમાં ભોજન વ્યવસ્થાનો સેવા યજ્ઞ ચાલું કરાવ્યો હતો.

વિદ્યાર્થીઓ સહિત વાલીઓ માટે પણ કરાય છે ભોજન વ્યવસ્થા

જોડીયા તાલુકા મથક પર બોર્ડનુ સેન્ટર આવેલુ છે. જયાં આસપાસ આશરે 50 જેટલા ગામના વિધાર્થીઓ પરીક્ષા આપવા માટે આવે છે. જોડીયા ગામ નાનુ છે. જયા પરીક્ષા આપ્યા પછી વિદ્યાર્થીઓને પૈસૈ ખર્ચીને પણ ભોજન મળતુ નથી. જેને ધ્યાને લઈને જામનગરના હેમંતભાઈ માડમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા આ વિધાર્થી માટે ભોજનની વ્યવસ્થા રાખવામાં આવી છે. પરીક્ષા પુર્ણ કરીને તમામ વિદ્યાર્થીઓ જોડિયાની લોહાણા મહાજન વાડીમાં ભોજન કરે છે. અને ખુશી વ્યકત કરે છે.

બોર્ડ પરીક્ષા બાદ અપડાઉન કરતા વિધાર્થીઓ મોડા ગામ કે ઘરે પહોચે. તેથી કોઈ પરીક્ષાર્થીઓને ભુખ્યા ન રહે તે હેતુથી ભોજનની સેવા આપવામાં આવે છે. જેમાં હાલ દૈનિક કુલ 700થી વધુ વિદ્યાર્થીઓને ભોજન આપવામાં આવે છે. વિધાર્થીઓ સાથે આવેલા વાલીઓ, શિક્ષકો કે અન્ય ખાનગી વાહનોમાં આવેલા ડ્રાઈવર સહીતના લોકો માટે પણ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. અને પરીક્ષા શરૂથી અંતિમ દિવસ સુધી ભોજન સેવા ચાલુ રહે છે.

ધાર્મિક સ્થાનોમાં જતા શ્રધ્ધાળુઓ માટે ભોજનની વ્યવસ્થા અનેક જગ્યાઓ પર હોય છે. પરીક્ષા આપવા જતા પરીક્ષાર્થીઓ માટે આ પ્રકારની ભોજન વ્યવસ્થા માત્ર જોડીયામાં જ કરવામાં આવતી હશે.

Follow Us
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી, રાહત કમિશનરે આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
બાઇક પર 'ટોઇલેટ સીટ'! સોશિયલ મીડિયા પર વાયરલ થયો અજબ-ગજબનો 'Video'
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમરેલીમાં મુશળધાર વરસાદથી શેત્રુંજી નદીમાં આવ્યુ ઘોડાપૂર- Video
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
અમદાવાદના નવા રોડની ચોંકાવનારી હકીકત
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
ગોધરામાં નવનિર્મિત અંડરબ્રિજ પાણીમાં થયો ગરકાવ, બ્રિજે લીધી જળ સમાધિ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
અમદાવાદના ધોળકામાં જળપ્રલય! 24 કલાકમાં 22 ઈંચ વરસાદથી જનજીવન ઠપ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વસ્ત્રાપુરમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, વેપારીઓમાં આક્રોશ
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
વાવ-થરાદમાં ધોધમાર વરસાદ, ભાભરમાં પાણી ભરાતા પોલીસ એક્શનમાં
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
Breaking News: અમદાવાદ-બગોદરા હાઈવે પાણીમાં ગરકાવ, અપાયુ ડાયવર્ઝન
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
વરસાદથી વલસાડની વરવી સ્થિતિ, DyCM હર્ષ સંઘવીએ કરી સમીક્ષા
g clip-path="url(#clip0_868_265)">